OTHER

આઇટીસી નર્મદાએ 2025 ક્રિસમસ ટ્રી ઇન્સ્ટોલેશનનું અનાવરણ કર્યું

લોક પરંપરાઓ અને તહેવારોની ચમકનો અનોખો સંગમ

આઇટીસી નર્મદાએ 2025 ક્રિસમસ ટ્રી ઇન્સ્ટોલેશનનું અનાવરણ કર્યું

સ્થાનિક વારસાના ઘટકોની સાથે તહેવારોની ઉજવણીમાં નવા રંગો ઉમેરવાની પોતાની પરંપરાને આગળ વધારતા અમદાવાદમાં આવેલી લક્ઝરી કલેક્શન હોટલ આઇટીસી નર્મદાએ વર્ષ 2025ના ક્રિસમસ ટ્રીના ઇન્સ્ટોલેશનનું અનાવરણ કર્યું. ‘ગરબો ઑફ લાઇટ્સ’ તરીકે ઓળખાતું આ વર્ષનું ક્રિસમસ ટ્રીનું ઇન્સ્ટોલેશન 25 ફૂટ જેટલું ઊંચું હશે, જેને વાઇબ્રન્ટ ગરબામાંથી પ્રેરણા લઇને તૈયાર કરવામાં આવ્યું છે.

500 રંગબેરંગી ડાંડિયા અને 200 જેટલી ઝગમગતી લાઇટ્સ વડે શણગારવામાં આવેલા આ 250 કિગ્રાના ઇન્સ્ટોલેશને પરંપરાને કલાનું સ્વરૂપ આપ્યું છે. પ્રત્યેક ડાંડિયા અને લાઇટને એ રીતે ગોઠવવામાં આવ્યાં છે કે, તેમાંથી રંગ, ચમક અને લયબદ્ધ ગતિના એક ભાતીગળ ચાકડાની રચના થાય, જે ગરબાની જબરદસ્ત ઊર્જા અને ગુજરાતના સાંસ્કૃતિક ધબકારનો પડઘો પાડે છે. ‘ગરબો ઑફ લાઇટ્સ’માં વારસની હૂંફ અને સમકાલીન તહેવારોના રંગનો સુભગ સમન્વય કરવામાં આવ્યો છે, જે સાચા અર્થમાં ક્રિસમસની અનોખી અભિવ્યક્તિમાં ગુજરાતની શાશ્વત ભાવનાના દર્શન કરાવે છે.

દર વર્ષે આઇટીસી નર્મદા ક્રિસમસ નિમિત્તે તેના આ શાનદાર ફેસ્ટિવ માસ્ટરપીસનું નિર્માણ કરવા માટે ગુજરાતના સૌથી પ્રિય પારંપરિક પ્રતીકોનો ઉપયોગ કરવાનો નમ્ર પ્રયત્ન કરે છે. ‘ગરબો ઑફ લાઇટ્સ’ના રૂપાંકનને સમકાલીન ઉત્સવનો સંદર્ભ આપવા માટે આ ક્રિસમસ ટ્રીમાં પરંપરાની હૂંફ અને આધુનિક ઉત્સવની ચમકનો અદભૂત સમન્વય સાધવામાં આવ્યો છે. આ ઇન્સ્ટોલેશન ગુજરાતની સાંસ્કૃતિક ભાવનાને આપવામાં આવેલી અંજલિ છે, બિલકુલ આઇટીસી નર્મદાના વાવથી પ્રેરિત સ્થાપત્યની જેમ, જેની પ્રેરણા ગુજરાતના ડીઝાઇનના વારસામાંથી લેવામાં આવી છે.

Related posts

સબકા સાથ સબકા વિકાસ”સૂત્ર માત્ર કાગળ પર, ‘ભ્રષ્ટાચારનો સાથ ભાજપનો વિકાસ’નાં સુત્ર સાથે રાજ્યમાં બેફામ વધ્યો ભ્રષ્ટાચાર: : ડો.હિરેન બેન્કર.

GUJARAT NEWS DESK TEAM

GLS Universityમાં ચાલી રહેલી ત્રણ દિવસીય Inter-College Competition ‘Narrative’ બીજા દિવસનો રંગીન અને વિચારપ્રેરક અનુભવ

GUJARAT NEWS DESK TEAM

કેરએજ-ESG દ્વારાભારતીય કંપનીઓમાંઅદાણી ગ્રીન એનર્જીને ૮૭.૩નાસર્વોચ્ચ ESG સ્કોર સાથેરેટિંગ અપાયું

અમદાવાદ ખાતે ‘વિશ્વ રેડ ક્રોસ દિવસ’ અને ‘વિશ્વ થેલેસેમિયા દિવસ’ની ઉજવણી: ‘રેડ ક્રોસ રથ’ને પ્રસ્થાન કરાવાયું

અદાણી યુનિવર્સિટીનું નવીદિક્ષા 2025 સાથે ભાવિ ઘડતા-તૈયાર સમૂહમાં પદાર્પણ

GUJARAT NEWS DESK TEAM

અદાણી ગ્લોબલ ઇન્ડોલોજી કોન્ક્લેમાં આધુનિક રામ અને કૃષ્ણનો અદભૂત સંવાદ યોજાયો

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment