મારું શહેર

અમદાવાદ પબ્લિક ટ્રાન્સપોર્ટ માટેની ઇલેક્ટ્રિક બસ માટે ઓન રૂટ સોલાર પાવર્ડ ઇલેક્ટ્રિક ચાર્જીંગ સ્ટેશન બનાવનાર દેશનું પ્રથમ શહેર

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સ્વિસ એજન્સી ફોર ડેવલપમેન્ટ એન્ડ કોઓપરેશન દ્વારા ફંડેડ “કેપેસીટી બિલ્ડીંગ પ્રોજેક્ટ ઓન લો કાર્બન એન્ડ ક્લાઈમેટ રેસિલિયન્ટ સિટી ડેવેલોપમેન્ટ ઈન ઇન્ડિયા (કેપેસીટીસ)” ફેઝટ પ્રોજેક્ટ અંતર્ગત આરટીઓ ખાતે ઓન રૂટ સોલાર પાવર્ડ ઇલેક્ટ્રિક ચાર્જીંગ સ્ટેશન બનાવવામાં આવ્યું છે. ૧૯ જુલાઈના રોજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સોલાર પાવર્ડ ઇલેક્ટ્રિક ચાર્જીંગ સ્ટેશનનું લોકાર્પણ થશે.

આમ, અમદાવાદમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ માટેની ઇલેક્ટ્રિક બસ માટે આ પ્રકારનું ઓન રૂટ સોલાર પાવર્ડ ઇલેક્ટ્રિક ચાર્જીંગ સ્ટેશન બનાવનાર પ્રથમ બન્યું છે.

આ પ્રોજેક્ટના ઉપયોગીતા અંગેની વાત કરીએ તો, આ ચાર્જીંગ સ્ટેશનમાં ૨૪૦ કિલોવોટ તથા ૧૮૦ કિલોવોટના ૨ ચાર્જર તથા ૧૨૦ કિલોવોટ પાવર સોલાર સીસ્ટમનું અમલીકરણ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે.

હાલની પરિસ્થિતિમાં દરરોજ ઇલેક્ટ્રિક બસની માઈલેજ પૂરી થયે ફરી ચાર્જ કરવા માટે ૪૦ જેટલી બસને ચાર્જિંગ ડેપો સુધી મોકલવા લગભગ વાર્ષિક ૬૦ લાખનો એસ્ટ્રા ખર્ચ અમદાવાદ માપ નગરપાલિકાને થઈ રહ્યો છે. સોલાર પાવર્ડ ઓન રૂટ ચાર્જિંગ વિથ સોલાર પ્રોજેકટના અમલ પછી દરરોજ ૪૦થી ૪૫ બસો માટે ઓન રૂટ ચાર્જિંગ શક્ય બનશે.

 

આ ઉપરાંત ૧૨૦ કિલોવોટ (kWp) સોલાર પાવર સિસ્ટમથી દર વર્ષે આશરે ૧.૨ લાખ કિલોવોટ (kWh) ઊર્જાનું ઉત્પાદન થશે અને  કાર્બન ડાયોક્સાઇડ ઈકવીવેલન્ટ (CO₂e) જેટલું ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન ઘટાડવામાં મદદ મળશે. આ કામગીરીના કારણે માત્ર ૪૦થી ૪૫ બસોના સુચારુ સંચાલન થકી AMCને આશરે રૂપિયા ૧ કરોડની વાર્ષિક નાણાકીય બચત થવા પાત્ર છે.

 

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આ પ્રકારના ચાર્જીંગ સ્ટેશનનું વધુ બે જગ્યાએ અમલીકરણ કરવાનું નક્કી પણ કરવામાં આવ્યું છે.

Related posts

રાજપથ ક્લબના 12 હોદ્દેદારોની બિનહરિફ વરણી

GUJARAT NEWS DESK TEAM

અમદાવાદમાં મતદારયાદી SIR ઝુંબેશ 4 નવેમ્બરથી BLO ઘરે-ઘરે ફોર્મ ભરાવશે 7 ફેબ્રુઆરીએ આખરી મતદારયાદી જાહેર કરવામાં આવશે

GUJARAT NEWS DESK TEAM

પીએમ નરેન્દ્ર મોદીના આગમન અગાઉ કોંગ્રેસના નેતાઓની અટકાયત અને નજર કેદ

GUJARAT NEWS DESK TEAM

અમદાવાદ માં રસ્તા નું સમારકામ પૂરજોશમાં

GUJARAT NEWS DESK TEAM

અમદાવાદ ખાતે વડાપ્રધાનના જન્મદિનની અનોખી ઉજવણી કરવામાં આવશે.. 

GUJARAT NEWS DESK TEAM

ભાજપના મીડિયા સેલના વિક્રમ જૈને સૌને નવરાત્રીની શુભકામના પાઠવી

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment