OTHER

જુવેનાઇલ જસ્ટિસ ઇન ગુજરાત’’ વિષય પર મહાશોધ નિબંધ તૈયાર કરી પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરનારા ડૉ.અનામિકા ક્રિસ્ટીને શુભકામનાઓ

જુવેનાઇલ જસ્ટિસ ઇન ગુજરાત’’ વિષય પર મહાશોધ નિબંધ તૈયાર કરી

પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરનારા ડૉ.અનામિકા ક્રિસ્ટીને શુભકામનાઓ

 

ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ ખાતે આયોજિત ૭૧-માં દીક્ષાંત સમારોહમાં

ડૉ.અનામિકા ક્રિસ્ટીને આ પદવી એનાયત કરવામાં આવી

સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગરના ડિપાર્ટમેન્ટ ઓફ સોશિયલ વર્કમાં મદદનીશ પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવતા ડૉ.અનામિકા ક્રિસ્ટીએ રાજ્યની પ્રતિષ્ઠિત ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ  ખાતેથી “ગુજરાતમાં બાળ ગુના:સામાજિક સમસ્યા અને નિરાકરણ-એક અભ્યાસ (રાજયના ઓબ્ઝર્વેશન હોમમાં રહેતા અને કાયદા સાથે સંઘર્ષમાં આવેલા બાળકોના સંદર્ભે) Juvenile Delinquency in Gujarat : A social problem and its solutions” વિષય પર મહાશોધ નિબંધ તૈયાર કરીને પીએચ.ડી. (વિદ્યાવાચસ્પતિ)ની ડિગ્રી પ્રાપ્ત કરીને સુધારાત્મક સમાજકાર્યની દિશામાં સંશોધનની નવતર પહેલ શરુ કરી છે.

વડોદરા નિવાસી ડૉ.અનામિકાએ આ મહાશોધનિબંધ ડૉ.ગીતાબેન વ્યાસ, નિવૃત પ્રાધ્યાપક, સમાજ કાર્ય અને ગ્રામ વિકાસ વિભાગ, સામાજિક વિજ્ઞાન વિદ્યાશાખા, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદના સબળ માર્ગદર્શનમાં સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે.

તા.૧૧ ઓક્ટોબર, ૨૦૨૫ના રોજ દેશના મહામહિમ રાષ્ટ્રપતિ મહોદયા શ્રીમતિ દ્રૌપદી મુર્મુજી, ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી, રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને અન્ય ગણમાન્ય અતિથિઓની ઉપસ્થિતિમાં ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ ખાતે આયોજિત ૭૧-મા દીક્ષાંત સમારોહમાં ડૉ.અનામિકા ક્રિસ્ટીને આ પદવી એનાયત કરવામાં આવી હતી.

ડૉ.અનામિકાએ આ સર્વોચ્ચ-પ્રતિષ્ઠિત પદવી પ્રાપ્ત કરીને તેમના માતા-પિતા, સમાજ અને શિક્ષણ સમુદાયને ગૌરવ અપાવ્યું છે.

 

 

Related posts

વિશ્વ સંસ્કૃત દિવસ નિમિત્તે ગુજરાતમાં 6થી 8 ઓગસ્ટ દરમિયાન સંસ્કૃત ગૌરવ યાત્રા

GUJARAT NEWS DESK TEAM

કેહવાતું ઐતિહાસિક પેકેજ એ પેકેજ નહીં પણ પડીકું :  અમિત ચાવડા

GUJARAT NEWS DESK TEAM

સદભાવના વૃદ્ધાશ્રમને “માવતર જોઈએ છે”.              વિશ્વનાં સૌથી મોટા “વિનુભાઈ બચુભાઈ નાગ્રેચા પરીસર” સદભાવના વૃદ્ધાશ્રમ(રાજકોટ)ને નિ:સંતાન, નિરાધાર, પથારીવશ માવતર જોઈએ છે. નિ:શુલ્ક પ્રવેશ અપાશે.

ગાંધીનગર ના રૂપાલમાં વરદાયિની માતાજી મંદિર પલ્લી ભરાઈ

GUJARAT NEWS DESK TEAM

જો ભારત જાદુઈ હોત તો?” થીમ પર કનોરિયા આર્ટ સેન્ટર ખાતે બાળકોનું ચિત્ર પ્રદર્શન યોજાયું

GUJARAT NEWS DESK TEAM

રાજ્યના નાગરિકોને શ્રી કૃષ્ણ જન્મોત્સવ પર્વની શુભકામનાઓ પાઠવતા મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment