ગુજરાત

રાજ્યમાં અનરાધારઃ બનાસકાંઠામાં રેડ એલર્ટ ….

આજે ૬ સપ્ટેમ્બર, ૨૦૨૫ ના રોજ વહેલી સવાર થી જ બનાસકાંઠા જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી હોઈ તમામને તકેદારી રાખવા વિનંતી કરવામાં આવે છે.નદીકાંઠા તેમજ ડેમના નીચાણવાળા વિસ્તારોમાં આવેલા ગામોને સાવચેતી રાખવા ખાસ આગ્રહપૂર્વક જણાવવામાં આવે છે.ભાદરવી પૂનમ મેળામાં આવનારા તમામ માઈભક્તો, પગપાળા સંઘો તથા સેવા કેમ્પોને પણ હવામાન વિભાગની આગાહી ધ્યાનમાં લેવા કલેક્ટર દ્વારા  વિનંતી કરવામાં આવી છે.

.મુશ્કેલીના કોઈપણ સમયે તાત્કાલિક જિલ્લા તથા તાલુકા કન્ટ્રોલ રૂમનો સંપર્ક કરવા વિનંતી કરવામાં આવી છે.
જ્યારે ઉકાઈડેમ ના 12 દરવાજા 7 ફૂટ ખોલી તાપી નદી માં પાણી છોડ્યા રહ્યું છે ….તાપી નદી ના કાંઠા વિસ્તાર ના 27 જેટલા ગામો ને સાવચેત કરાયા…સરદાર સરોવર બંધમાંથી વહેલી સવાર સુધીમાં ત્રણ લાખ 81 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.. અમારા ભરૂચના પ્રતિનિધિના જણાવ્યા અનુસાર મળસ્કે સાડા ચાર વાગ્યા સુધીમાં ગોલ્ડન બ્રિજ નીચે  જળસપાટી 28.27 ફૂટે સ્થિર થઇ છે..

રાજ્યના અનેક વિસ્તારોમાં ગઇકાલે મોડી સાંજથી રાત સુધી  ધોધમાર વરસાદ વરસવાના અહેવાલ છે..

સવારના છ વાગ્યાથી આજે મળસ્કે ચાર વાગ્યા સુધીના 24 કલાક દરમિયાન રાજ્યના 198 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો..જેમાં તાપીના ડોલવણમાં સાડા છ ઇંચ કરતાં વધુ જ્યારે સુરતના બારડોલીમાં પાંચ ઇંચ કરતાં વધુ સાંબેલાધાર વરસાદ વરસ્યો હતો..જ્યારે સરદાર સરોવરમાંથી વિપુલ પ્રમાણમાં પાણી નર્મદા નદીમાં છોડવામાં આવતા નર્મદા નદીના કાંઠા વિસ્તારના લોકોને એલર્ટ કરાયાં છે.. ભરૂચ જીલ્લાના અંકલેશ્વર તાલુકાના 14 ગામોના લોકોને સાવધ કરાયા છે. જ્યારે અંકલેશ્વરના નર્મદા કાંઠાના વિસ્તારના ખેડૂતોને પાકની ચિંતા સતાવી રહી છે.. ત્યારે વડોદરા અને અંકલેશ્વરની શાળામાં રજા જાહેર કરાઇ છે..

 

 

Related posts

સૌરાષ્ટ્રની એક માત્ર મારવાડી યુનિવર્સિટી સહીત ગુજરાત ની 7 યુનિવર્સિટીઓ ને NIRF 2025 રેન્કિંગ માં સ્થાન મળ્યું.

GUJARAT NEWS DESK TEAM

આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને AAPએ કરી સંખ્યાબંધ નિયુક્તિઓ

GUJARAT NEWS DESK TEAM

ગુજરાતમાં જળ વ્યવથાપન અને જળ વિતરણના નામે મોટી મોટી જાહેરાતો કરતી ભાજપ સરકારમાં સફેદ પાણીના કરોડો રૂપિયાના કાળા કારોબાર

GUJARAT NEWS DESK TEAM

સુવર્ણ નવરાત્રીના આયોજકો પર GST વિભાગનો દરોડો, સુરત-અમદાવાદમાં ફફડાટ

GUJARAT NEWS DESK TEAM

મુખ્યમંત્રીએ રક્ષાબંધનની ઉજવણી કરી

બ્રિજ દુર્ઘટનાની ન્યાયિક તપાસ કરાવવા કોંગ્રેસની માંગ

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment