ક્રાઇમ

અઢી દાયકાથી ફરાર આરોપી સીબીઆઇના સકંજામાં

સીબીઆઈ એ મોટી કાર્યવાહી કરી અને 26 વર્ષથી ફરાર હત્યાના આરોપી મોહમ્મદ દિલશાદને અહીંના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ધરપકડ કરી. તે 11 ઓગસ્ટના રોજ નકલી પાસપોર્ટ દ્વારા સાઉદી અરેબિયાથી ભારત પરત ફરી રહ્યો હતો, ત્યારે તેને પકડવામાં આવ્યો હતો. ધરપકડ બાદ, તેને 14 ઓગસ્ટના રોજ ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. સીબીઆઈના જણાવ્યા અનુસાર, દિલશાદ પર ઓક્ટોબર 1999માં સાઉદી અરેબિયાના રિયાધ શહેરમાં એક વ્યક્તિની હત્યા કરવાનો આરોપ છે. તે સમયે તે ત્યાં મોટર મિકેનિક અને સુરક્ષા ગાર્ડ તરીકે કામ કરતો હતો. હત્યા બાદ તે ભારત ભાગી ગયો અને ત્યારથી ફરાર હતો.

સાઉદી અધિકારીઓની વિનંતી પર, સીબીઆઈએ એપ્રિલ 2022 માં આ મામલે કેસ નોંધ્યો. તપાસ દરમિયાન, એવું જાણવા મળ્યું કે, દિલશાદે નવી ઓળખ સાથે બનાવટી પાસપોર્ટ બનાવ્યો હતો અને વિદેશ પ્રવાસ કરતો રહ્યો. તે કતાર, કુવૈત અને સાઉદી અરેબિયા જેવા દેશોમાં આવતો-જતો રહ્યો.

સીબીઆઈએ તેમની વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર (એલઓસી) જારી કર્યો અને ઉત્તર પ્રદેશના બિજનૌરમાં તેમના ગામને પણ શોધી કાઢ્યું, પરંતુ તેઓ ધરપકડથી બચતા રહ્યા. બાદમાં, ટેકનિકલ સર્વેલન્સ અને ગુપ્ત માહિતીના આધારે, સીબીઆઈને તેમના નવા પાસપોર્ટ વિશે સંકેત મળ્યો, જેના પગલે બીજો એલઓસી જારી કરવામાં આવ્યો. આ પછી, 11 ઓગસ્ટના રોજ, તેઓ જેદ્દાહ થઈને મદીનાથી દિલ્હી પહોંચ્યા કે તરત જ તેમની ધરપકડ કરવામાં આવી. સીબીઆઈએ કહ્યું કે, આ કેસમાં તપાસ હજુ પણ ચાલુ છે.

Related posts

અમદાવાદમાંથી પંદર લાખના પોપટની ચોરી

GUJARAT NEWS DESK TEAM

રાજ્યભરના તમામ મેડિકલ સ્ટોર્સમાં ગુજરાત પોલીસનું મેગા ચેકીંગ

2008માં થયેલ માલેગાંવ બ્લાસ્ટ કેસનું ભૂત ફરીથી ધુણ્યું

GUJARAT NEWS DESK TEAM

ગોળી મારીને આપઘાતનો પ્રયાસ

GUJARAT NEWS DESK TEAM

સાણંદની એક રિસોર્ટમાં ચાલતી દારૂની પાર્ટી પર રેડ

GUJARAT NEWS DESK TEAM

સુરતમાં જ્વેલર્સને ત્યાં લંટારૂ ત્રાટક્યા..ફાયરિંગમાં જ્વેલર્સના માલિકનું મોત

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment