ગુજરાતમારું શહેર

મેડિકલ સ્ટોરમાં તપાસ બાદ અમદાવાદ પોલીસે 235 કેસ નોંધ્યા

અમદાવાદ શહેરમાં મેડીકલ સ્ટોર ઉપર થતા નશાકારક દવાઓના દુરપયોગ અને ગેરકાયદેસર વેચાણને રોકવા અંગે અમદાવાદ શહેર પોલીસ દ્વારા ગઇકાલે હાથ ધરાયેલા  મેગા સર્ચ ઓપરેશનમાં 235 કેસ કરાયા હોવાનું પોલીસ દ્વારા જણાવાયું હતું… આ તમામ કેસમાં 54 આરોપીઓ સામે કેસ નોંધામાં આવ્યાં હતા..

આ તપાસ દરમિયાન જુવેનાઇલ જસ્ટીસના 53, સિગારેટસ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટસ 178, એનડીપીએસ બે અને ઇ સિગારેટના બે કેસ નોધાયા હતા..

આજની યુવા પેઢીને ડ્રગ્સ જેવા દુષણથી ઉગારવા સારૂ તેમજ તેમના ઉજ્જ્વળ ભવિષ્યને નશાના દુષણથી બચાવવાની નેમ હેઠળ અમદાવાદ શહેર પોલીસ દ્વારા તા.૦૯/૦૭/૨૦૨૫ બપોરના ૧૨/૦૦ વાગે થી અમદાવાદ શહેર ખાતેના તમામ મેડીકલ સ્ટોર (સ્કુલ અને કોલેજ નજીકના) ને અસરકારક રીતે ચેક કરી, તેમાં પ્રતિબંધિત કન્ટેન્ટવાળી કોઇ દવા પ્રિસ્કીપ્શન વગર વેચાણ કરવામાં આવતી હોય તો તે બાબતે મેડીકલ સ્ટોર પર જઈ, દવાઓનો સ્ટોક અને તેનુ રજીસ્ટર ચેક કરવા, વેચાણ રજીસ્ટરમાં એન્ટ્રી કરેલ છે કે નહી વિગેરે બાબતો ચેક કરી, જો આ બાબતે કોઇ ગેરકાયદેસર પ્રવૃત્તિ જણાઇ આવે તો ડીકોય ગોઠવી NDPS એક્ટ મુજબની કાર્યવાહી કરવામાં આવેલ હતી.

 

શાળા/કોલેજો/શૈક્ષણીક સંસ્થાની આસપાસના ૧૦૦ મીટર વિસ્તારમાં આવેલ મેડીકલ સ્ટોર ચેક કરવામાં આવ્યા ઉપરાંત તમાકુ વેચતા લારી ગલ્લા/પાન પાર્લર ચેક કરી, સગીર વયના બાળકોને તમાકુના વેચાણ કરનાર/તેમની પાસે આવું કૃત્ય કરાવનાર વિરુધ્ધ COTPA એક્ટ હેઠળ પગલા લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

 

અમદાવાદ શહેર વિસ્તારના મેડીકલ સ્ટોર ઉપર પ્રતિબંધિત કન્ટેન્ટવાળી દવા અને પ્રિસ્કીપ્શન વગર વેચાણ કરવામાં આવતી નશાકારક દવાઓ અંગે ચેકીંગ હાથ ધરી કુલ ૮૮૦ મેડીકલ સ્ટોર ચેક કરવામાં આવેલ છે.

Related posts

ગુજરાતમાં વસ્તી ગણતરીનો પ્રથમ તબક્કો શરૂ થશે,સરકારે બહાર નોટિફિકેશન પાડ્યું

અમદાવાદથી ઇન્ડીગોની હિડોન માટેની હવાઇ સેવાના આરંભ

સુરેન્દ્રનગર જમીન કૌભાંડનો મામલો કલેક્ટર અને નાયબ મામલતદારના પહેલા જાન્યુ. સુધીના રિમાન્ડ મંજૂર

GUJARAT NEWS DESK TEAM

પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઇ વિશ્વકર્માજીની અધ્યક્ષતામાં પ્રદેશના નવનિયુકત પદાધિકારીશ્રીઓની બેઠક યોજાઇ

GUJARAT NEWS DESK TEAM

ગૌતમ અદાણીએ અક્ષય તૃતિયાના મંગલ દિને તારંગા જૈન મંદિરમાં પૂજા અર્ચના કરી

પ્રધાનમંત્રીશ્રીના દીર્ઘ અને યશોમય આયુષ્ય માટે સોમનાથ મહાદેવની મહાપૂજા પાઘ પૂજા, આયુષ્ય મંત્ર જાપ કરાયા, સોમનાથ દાદાને 75 કિલો લાડુનો મનોરથ

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment