OTHER

ભારત સરકારે એનડીડીબીના ચેરમેન તરીકે ડૉ. મીનેશ શાહનો કાર્યકાળ સાડા ત્રણ વર્ષ માટે લંબાવ્યો

ભારત સરકારે એનડીડીબીના ચેરમેન તરીકે ડૉ. મીનેશ શાહનો કાર્યકાળ સાડા ત્રણ વર્ષ માટે લંબાવ્યો

 ભારત સરકારે એનડીડીબીના ચેરમેન તરીકે ડૉ. મીનેશ શાહનો કાર્યકાળ સાડા ત્રણ વર્ષ માટે લંબાવ્યો છે. સરકારનો આ નિર્ણય ડેરી અને તેના સંલગ્ન ક્ષેત્રોમાં ડૉ. મીનેશ શાહના અસાધારણ નેતૃત્ત્વ અને નોંધપાત્ર યોગદાનને દર્શાવે છે.

ડૉ. મીનેશ શાહ ભારતની અગ્રણી વિકાસલક્ષી સહકારી સંસ્થાઓમાંથી એકનું નેતૃત્વ કરી રહ્યાં છેજે ગ્રામ્ય પશુપાલકોના જીવનને સુધારવા માટે તેમની અડગ કટિબદ્ધતાને દર્શાવે છે. તેઓ એનડીડીબીની મુખ્ય સહાયક કંપનીઓના અધ્યક્ષ પણ છે: મધર ડેરી ફ્રૂટ એન્ડ વેજીટેબલ પ્રાઇવેટ લિમિટેડ (એમડીએફવીપીએલ), આઈડીએમસી લિમિટેડ, ઇન્ડિયન ઇમ્યુનોલોજિકલ્સ લિમિટેડ (આઇઆઇએલ), એનડીડીબી ડેરી સર્વિસિઝ (એનડીએસ), એનડીડીબી મૃદા લિમિટેડ અને એનડીડીબી કાફ લિમિટેડ. તેઓ નેશનલ કૉઑપરેટિવ ડેરી ફેડરેશન ઑફ ઇન્ડિયા (એનસીડીએફઆઈ), નેશનલ કૉઑપરેટિવ ઑર્ગેનિક્સ લિમિટેડ (એનસીઓએલ), એનિમલ બ્રીડિંગ રીસર્ચ ઓર્ગેનાઇઝેશન, આનંદાલય એજ્યુકેશન સોસાયટી, એનડીડીબી ફાઉન્ડેશન ફૉર ન્યુટ્રિશન (એનએફએન)ના અધ્યક્ષ તરીકે અને વિવિધ અગ્રણી સંસ્થાઓના સંચાલક મંડળના સભ્ય તરીકે પણ સેવા આપી રહ્યાં છે. ડૉ. મીનેશ શાહ ઇન્ટરનેશનલ ડેરી ફેડરેશન (આઇડીએફ)ના બૉર્ડ ઑફ ડિરેક્ટર્સના સભ્ય અને આઇડીએફની ઇન્ડિયન નેશનલ કમિટીના સભ્ય સચિવ પણ છે.

છેલ્લાં ચાર દાયકામાં ડૉ. મીનેશ શાહે ભારતના ડેરી ક્ષેત્રની કાયાપલટને સ્થિતિસ્થાપકતાવૈશ્વિક નેતૃત્વ અને સર્વસમાવેશક વિકાસની દિશામાં દોર્યું છે. નવીનીકરણ પરના તેમના ફૉકસને પરિણામે સ્થાયી પ્રગતિ થઈ શકી છે, સંચાલનની કાર્યક્ષમતામાં વધારો થયો છે અને પશુપાલકોનું જીવનધોરણ સુધર્યું છે. કૃષિના વિકાસ અને ગ્રામીણ સમૃદ્ધિને પ્રોત્સાહન આપવા માટેની તેમની કટિબદ્ધતા ખરેખર પ્રશંસનીય છે.

Related posts

સુઈગામ ખાતે ત્રણ દિવસીય બી.એસ.એફ બૂટ કેમ્પ સંપન્ન

GUJARAT NEWS DESK TEAM

અદાણી યુનિવર્સિટીનું નવીદિક્ષા 2025 સાથે ભાવિ ઘડતા-તૈયાર સમૂહમાં પદાર્પણ

GUJARAT NEWS DESK TEAM

આમ આદમી પાર્ટીથી મોહભંગ થતા આગેવાનો કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયા

GUJARAT NEWS DESK TEAM

કુમકુમ મંદિર દ્વારા “શિક્ષાપત્રી” ગ્રંથની દ્વિશતાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવી.

GUJARAT NEWS DESK TEAM

જળ સુરક્ષા અને સમાવેષી સંચાલન વિષયે અદાણી ફાઉન્ડેશન અને સેન્ટર ફોર એન્વાયર્નમેન્ટ એજ્યુકેશન દ્વારા સંવાદ યોજાયો

ગીતા રબારી – “કચ્છી કોયલ” – કરશે ‘સુરભિ નવરાત્રિ ઉત્સવ 2025’, બોરીવલીમાં પ્રથમવાર પરફોર્મન્સ

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment