ગુજરાત

કૃષિ યુનિવર્સીટીમા લાયકાત વગરના કુલપતિઓની નિમણુક ઃમનહર પટેલ

ગુજરાતના ખેડુતોની બરબાદીનો ઇતિહાસ રાજ્યના લાચર કૃષિ મંત્રી અને તેનુ અફિણી ઘેનમા સુતેલુ ખેતીવાડી ખાતુ લખી રહ્યા છેખેડુતોની બદદુઆ ભાજપાને ભરખી જશે અટકો….

 ·         ગુજરાતની સરકારી કૃષિ યુનિ.ના કુલપતિઓ દલાતરવાડી જેવા કુલપતિઓ નિયમ વિરુદ્ધ કરોડો રુપિયાનો પગાર આકારી ખીચા ભરી રહ્યા છેકૃષિ મંત્રી મૌન

·         ગુજરાતની તમામ સરકારી કૃષિ યુનિ.ઓના કુલપતિઓ ઉપર મરામત અને ખરીદીમા કરોડો રુપિયાના આક્ષેપો થઈ રહ્યા છેકૃષિ મંત્રી મૌન….

·         કૃષિ યુનિવર્સીટીમા લાયકાત વગરના કુલપતિઓની નિમણુક થઈ છેકૃષિ મંત્રી મૌન

·         કૃષિ યુનિવર્સીટીના કુલપતિ રોસ્ટરના નિયમો સાથે છેડછાડ કરીને કૃષિ અધિકારીઓની ભરતીમા કૌભાંડ આચરી રહ્યા છે તપાસ માંગીકૃષિ મંત્રી મૌન.

·         આણંદ કૃષિ યુનિવર્સીટીના કુલપતિ ડો કે બી કથીરીયા ની વૈભવી ઓફિસ અને સરકારી નિવાસ પાછળ થયેલા અનઅધિકૃત ખર્ચા ભ્રષ્ટાચાર અને નાણાંકીય ગેરરીતિના સંકેત આપે છે તપાસ કરાવો અને વસુલોકૃષિ મંત્રી મૌન..

·         આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતી ડો. કે બી કથીરિયા ભારત સરકાર અને સેન્ટ્રલ વિજિલન્સ કમિશન નિયમોનુ ઉલંઘન કરીને “એગ્રીકલ્ચર પાક/ફાર્મ અને જાન માલ” ની સિક્યોરિટી/સુરક્ષાના ઇજારો ખાસ માનીતી કંપનીને ૧૩.૨૯ કરોડ રુપિયાનો આપીને ભ્રષ્ટાચાર આચરવામા આવેલ છેકૃષિ મંત્રી મૌન.

·         ગુજરાતનો ખેડુત આજે રાસાયણિક ખાતરની તંગીખાતર સમયે  મળવાથીખાતરની ગુણવતા કારણે અને સતત વધતા ભાવના પ્રશ્નોથી પીડાય છેકૃષિ મંત્રી મૌન..

·         નબળા હલકા અને માન્યતા પ્રાપ્ત વગરના બિયારણો વેચતા બીજ બુટલેગરોને કારણે છેલ્લા ઘણા વર્ષોથી રાજયના લાખો ખેડુતોની ખેતી નિષ્ફળ જાય છે અને આર્થિક દેવામા ડુબીને આત્મહત્યા કરે છે પરંતુ કૃષિ મંત્રી મૌન.

અગાઉ અમોએ માંગ કરી છે કે ગુજરાતની સરકારી કૃષિ યુનિ. ની શાખ ઉપર સવાલો ઉભા થયા છેતેના માટે જવાબદાર રાજ્યનો કૃષિ વિભાગ અને કૃષિ યુનિ.ના કુલપતિઓ છેતેના કારણે કૃષિ સંશોધનની કામગીરીમા શુન્યાવકાશ જોવા મળી રહ્યો છેબેરોજગાર કૃષિ સ્નાતકોની સંખ્યા વધી રહી છે તેના માટે કોઇ ચિંતા દેખાતી નથીખેતીવાડી ખાતુ ખેતીના પડકારોના ઉકેલ આપવાની જવાબદારીથી છટકી રહી છે,આવી ગંભીર હાલતમા રાજયની કૃષિ યુનિ.ના કુલપતિઓ ભ્રષ્ટાચાર અને ગેરરીતી આચરવામા રચ્યા પચ્યા છેમાટે આવા જવાબદાર કુલપતિઓ ઉપર થયેલા આક્ષેપો અને કથિત તમામ ભ્રષ્ટાચાર અને ગેરરીતીઓની નિષ્પક્ષ અને ન્યાયી તપાસ કરવામા આવે અને  તપાસ કૃષિ વિભાગના અધિક મુખ્યસચિવશ્રી IAS ડો અંજુ શર્માના વડપણ નીચે કરવામા આવે.

Related posts

બ્રિજ દુર્ઘટના મામલે બાપુ સરકાર પર બગડ્યા

GUJARAT NEWS DESK TEAM

ગાંધી આશ્રમ ડી ડેવલોપમેન્ટ પ્રોજેક્ટની મુખ્યમંત્રીએ મુલાકાત કરી

શાળાઓને રાજ્ય સરકાર સ્પોર્ટ્સ કીટ આપશે

GUJARAT NEWS DESK TEAM

સાબર ડેરી ખાતે પશુપાલકો ઉપરના દમન સામે આપના નેતા ઇસુદાને રોષ વ્યક્ત કર્યો

GUJARAT NEWS DESK TEAM

ગુજરાત પોલીસ ‘અભિરક્ષક’ દ્વારા ગંભીર માર્ગ અકસ્માતોનો ભોગ બનેલા લોકોને  બચાવશે

શાળાઓમાં 3D, AR/VR, AI, રોબોટિક્સ અને ડ્રોન ટેક્નોલોજીનું સ્માર્ટ શિક્ષણ આપતી દેશની પ્રથમ સુરત મહાનગરપાલિકા

Leave a Comment