રાષ્ટ્રીય

ફ્લાઇટમાંથી વંદો નિકળતાં એર ઇન્ડિયાને માફી માંગવી પડી

 

એર ઇન્ડિયા એરલાઇન્સની સાન ફ્રાન્સિસ્કો-મુંબઈ ફ્લાઇટ દરમિયાન  વંદો જોવા મળ્યા બાદ વિમાનની

સઘન સફાઈ કરવામાં આવી હતી. એરલાઇન્સને આ મામલે માફી માંગવાનો વારો આવ્યો હતો અને તાત્કાલિક

પગલાં લેવા પડ્યા હતા. આ ફ્લાઇટ  માં બે મુસાફરોએ નાના કોકરોચની ફરિયાદ કરી હતી, તેમને તે જ કેબિનની અન્ય સીટો પર ખસેડવામાં આવ્યા હતા.એર ઇન્ડિયાએ સોમવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે,”  ફ્લાઇટ નંબર એઆઇ 180 માં બે મુસાફરો
વિમાનમાં કેટલાક નાના કોકરોચ જોયા પછી પરેશાન થયા હતા. તેથી, અમારા કેબિન ક્રૂએ બંને મુસાફરોને તે જ કેબિનની અન્ય સીટો પર બેસાડ્યા, જ્યાં તેઓ આરામથી બેઠા હતા.”
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે,” કલકાતામાં રિફ્યુઅલિં દરમિયાન, ગ્રાઉન્ડ ક્રૂએ

સમસ્યાનો ઉકેલ લાવવા માટે તાત્કાલિક ઊંડાણપૂર્વક સફાઈ કરી હતી.” એરલાઇન્સનું

કહેવું છે કે,” નિયમિત ફ્યુંમીગેશન છતાં, ક્યારેક ગ્રાઉન્ડ ઓપરેશન દરમિયાન જંતુઓ વિમાનમાં પ્રવેશ કરે

છે. એર ઇન્ડિયાએ આ ઘટનાની તપાસ શરૂ કરી છે.”

Related posts

કુલગામમાં સતત બાર દિવસથી સર્ચઓપરેશન યથાવત

GUJARAT NEWS DESK TEAM

વનતારા ટીમ દ્વારા સુપ્રીમ કોર્ટના નિર્દેશનું સ્વાગત કરાયું

GUJARAT NEWS DESK TEAM

પોલેન્ડ દૂતાવાસ નજીક, કોંગ્રેસ મહિલા સાંસદ પાસેથી ચેઈન છીનવી લેવામાં આવી

બિહારના નિવૃત્ત પત્રકારોને 15,000 રૂપિયા પેન્શન મળશે

GUJARAT NEWS DESK TEAM

સેબી ક્લીન ચીટ: અદાણી કહે છે કે કપટી રિપોર્ટનો ઉપયોગ કરીને ખોટી વાતો ફેલાવનારાઓએ માફી માંગવી જોઈએ

GUJARAT NEWS DESK TEAM

પ્રધાનમંત્રી આવતીકાલે બિહારના પ્રથમ છ લેનવાળા ઔંટા-સિમરિયા પુલનું ઉદ્ઘાટન કરશે

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment