AAP ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને ફ્રન્ટલ સંગઠન પ્રમુખ પ્રવીણ રામે ગતરોજ વડોદરા શહેર ટીમ સાથે ગંભીરા બ્રીજની મુલાકાત લઈ વર્તમાન પરિસ્થિતિની ચકાસણી કરી.આ દુર્ઘટનામાં 15 લોકોએ જીવ ગુમાવ્યો છે, કેટલા લોકો ડૂબ્યા છે તેનો કોઈ આંકડો નથી તેમ છતાં મુખ્યમંત્રી અને ભાજપના નેતાઓને આ ઘટના નાની લાગે છે કદાચ એટલે જ તેમણે ઘટના સ્થળની મુલાકાત લીધી નથી.
આ મુલાકાત દરમિયાન પ્રમુખ દ્વારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને સૂચના આપવામાં આવી કે રાહત બચાવ કામગીરીમાં જોડાઈ માનવધર્મ નિભાવવો.ગુજરાતમાં આવી ઘાટનો છાશવારે થઈ રહી છે, ત્યારે AAP પ્રમુખ ઇસુદાન ગઢવી એ ગુજરાતના મુખ્યમંત્રીના રાજીનામાં ની માંગ કરી. તપાસના નામે ગુજરાતની જનતાના જીવ જોખમમાં મૂકી સરકાર હાસ્યાસ્પદ નિવેદન કરી છટકી જાય છે,જે એક ગંભીર બાબત છે.