રાષ્ટ્રીય

બિહારના નિવૃત્ત પત્રકારોને 15,000 રૂપિયા પેન્શન મળશે

ચૂંટણી માથે આવતાં જ હવે બિહારમાં નવી નવી કલ્યાણકારી યોજનાઓની જાહેરાત જાણે પૂર બહારમાં ખીલી છે.. હવે   પત્રકારોની પેન્શન રકમ 6,000થી વધારીને 15,000 કરવાની મુખ્યમંત્રી નિતીશકુમારે જાહેરાત  કરી છે.

મુખ્યમંત્રી નીતિશ કુમારે રાજ્યના પત્રકારો માટે એક મોટી જાહેરાત કરી છે અને “બિહાર પત્રકાર સન્માન પેન્શન યોજના” હેઠળ આપવામાં આવતી પેન્શન રકમમાં વધારો કર્યો છે. હવે રાજ્યના નિવૃત્ત પત્રકારોને અગાઉ 6,000 રૂપિયા પ્રતિ માસને બદલે 15,000 રૂપિયા પ્રતિ માસનું સન્માન પેન્શન મળશે.

બિહાર પત્રકાર સન્માન પેન્શન યોજના હેઠળ પેન્શન મેળવતા પત્રકારોના મૃત્યુના કિસ્સામાં, તેમના આશ્રિત પતિ/પત્નીને આજીવન પેન્શનની રકમ 3000 રૂપિયાને બદલે 10,000 રૂપિયા પ્રતિ માસ આપવાના નિર્દેશો આપવામાં આવ્યા છે.

Related posts

મુસાફરોની સુરક્ષા વધારવા માટે રેલવે, કોચમાં સીસીટીવી કેમેરા લગાવશે

GUJARAT NEWS DESK TEAM

મરાઠી મામલે અભિનેત્રી રાજશ્રી મોરે સાથે મનસેના નેતાના પુત્રની ગેરવર્તણૂંક

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment