ગુજરાત

બગોદરા સામૂહિક આત્મહત્યા મામલે આપે ન્યાયની માગણી કરી

આમ આદમી પાર્ટીના પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડૉ.કરન બારોટે એક વીડિયોના માધ્યમથી અત્યંત ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, આજે બગોદરામાં એક સામૂહિક આત્મહત્યાની ઘટના ઘટી છે. એક જ પરિવારના પાંચ લોકોએ ઝેરી દવા પીને આત્મહત્યા કરી છે. આ ખૂબ જ દુઃખદ ઘટના છે અને આ ઘટના પર અમે શોક વ્યક્ત કરીએ છીએ. હવે સવાલ પૂછવાનો સમય આવી ગયો છે કે ગુજરાતમાં શું થઈ રહ્યું છે? કારણ કે ભાજપના શાસનમાં ફક્ત છેલ્લા ત્રણ વર્ષમાં 25000 લોકોએ આત્મહત્યા કરી છે. છેલ્લા 15 મહિનામાં 17 પરિવારોએ આર્થિક સંકળામણના કારણે આત્મહત્યા કરી છે. આ આત્મહત્યાની ઘટનાઓને ઝઘડામાં ફેરવી દેવામાં આવે છે. પરંતુ હકીકત એ છે કે આ આત્મહત્યાઓ આર્થિક સંકળામણના કારણે થઈ હોય છે. આજે દેશમાં એવી હાલત છે કે દેશના ટોપ 10% લોકો પાસે દેશની 60% સંપત્તિ છે. ભાજપના રાજમાં અમીરો અમીર બનતા જાય છે ગરીબો વધુ ગરીબ બનતા જાય છે અને જેના કારણે અમીર અને ગરીબ વચ્ચેનો ભેદ વધ્યો છે.

મારો સવાલ છે કે ગુજરાતના લોકોનો આત્મા ક્યારે જ જાગશે? ક્યારે આપણે જોઇશું કે ગરીબ અને મધ્યમ વર્ગ ભાજપના રાજમાં દિવસેને દિવસે વધુને વધુ પીસાઈ રહ્યો છે. ભાજપને આજે ફક્ત ભાજપના લોકો જ દેખાઈ રહ્યા છે. બંધારણમાં કહેવામાં આવ્યું છે કે અમે ભારતના લોકો, પરંતુ ભાજપના લોકો માને છે કે ભાજપ અને ભાજપના લોકો. હું ભાજપને કહેવા માંગીશ કે તમે ગુજરાતની જનતાનું ધ્યાન નથી રાખી શકતા, તમે ગુજરાતની જનતાને આર્થિક રીતે મજબૂત નથી બનાવી શકતા, પરંતુ હવે ગુજરાતની જનતા જાગી ગઈ છે અને આગામી સમયમાં ગુજરાતની જનતા ભારતીય જનતા પાર્ટીની સરકારને જાકારો આપશે અને ગુજરાતમાં આર્થિક સમાનતા લાવનાર અને તમામ લોકોને સમાન મહત્વ આપનાર આમ આદમી પાર્ટીને હવે લોકો ચૂંટશે.

 

Related posts

પ્રધાનમંત્રીશ્રીના દીર્ઘ અને યશોમય આયુષ્ય માટે સોમનાથ મહાદેવની મહાપૂજા પાઘ પૂજા, આયુષ્ય મંત્ર જાપ કરાયા, સોમનાથ દાદાને 75 કિલો લાડુનો મનોરથ

GUJARAT NEWS DESK TEAM

પૂજ્ય બાપુના સ્વચ્છતા મહામંત્રને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ  જન જન સુધી પહોંચાડ્યો છે: અધ્યક્ષ શંકર ચૌધરી

GUJARAT NEWS DESK TEAM

નિકોલ વિધાનસભાના  વિરાટનગર અને ઓઢવ વોર્ડ ખાતે  નૂતન વર્ષ સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો.

GUJARAT NEWS DESK TEAM

કૃષિ યુનિવર્સિટી દ્વારા જુનિયર ક્લાર્કની ભરતી પરીક્ષામાં છબરડા: યાત્રિક પટેલ AAP

GUJARAT NEWS DESK TEAM

અમદાવાદના બાપુનગરમાં નમોત્સવને મોટી સંખ્યામાં લોકોએ માણ્યો

GUJARAT NEWS DESK TEAM

માન્ય રાજકીય પક્ષોને મહત્તમ સંખ્યામાં BLAની નિયુક્તિ કરી નાગરિકોને મદદરૂપ થવા અનુરોધ

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment