ગુજરાત

સુરતના નાસિરનગર ભૂતિયા ડિમોલિશન મામલે મ્યુ.કમિશનરને દિલ્હીનું તેડુ

સુરતના નાસિરનગર વિસ્તારમાં થયેલા કથિત ભૂતિયા ડિમોલિશન મામલે હવે નવો વળાંક આવ્યો છે. આ સમગ્ર વિવાદ દિલ્હી સુધી પહોંચ્યો છે. મ્યુનિસિપલ કમિશનર એન. નાગરાજનને હાઈ કમાન્ડ તરફથી તેંડુ આવ્યું છે.
દિલ્હી ખાતે હાઈ કમાન્ડ દ્વારા કમિશનર પાસેથી સમગ્ર ઘટનાની વિગતવાર માહિતી લેવામાં આવી છે. ડિમોલિશન પ્રક્રિયા દરમિયાન થયેલી ગેરરીતિઓ અને જવાબદારી નક્કી કરવા અંગે પણ ચર્ચા થઈ છે. આ દરમિયાન હાઈ કમાન્ડે સમગ્ર મામલે નિષ્પક્ષ અને યોગ્ય તપાસ કરવા માટે સંબંધિત અધિકારીઓને સૂચના આપી હોવાનું જાણવા મળી રહ્યું છે. તપાસના આધારે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવી શકે છે.
મહત્વનું છે કે, મ્યુનિસિપલ કમિશનર એન. નાગરાજન આ મામલે બે અધિકારીઓ સામે કડક પગલાં લેવાની તૈયારીમાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે. સાથે જ ડીસીપી નકુમ અને સોનારા સામે પણ કાર્યવાહી થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
નાસિરનગર ડિમોલિશન મામલો છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. હવે હાઈ કમાન્ડની સીધી દખલગીરી બાદ સમગ્ર ઘટનાક્રમ પર સૌની નજર ટકેલી છે. તપાસ પૂર્ણ થયા બાદ જવાબદારી નક્કી કરીને સંડોવાયેલા અધિકારીઓ સામે શું પગલાં લેવામાં આવે છે તે જાેવાનું મહત્વપૂર્ણ રહેશે.
સુરતના નાસિરનગર ભૂતિયા ડિમોલિશન મામલે ૧૪ દિવસ બાદ પણ કોઈ કાર્યવાહી નહીં થતાં અનેક સવાલો ઉઠ્યા હતા. તપાસ માટે રચાયેલી કમિટીને ૭૦ કલાકથી પણ વધુ સમય વીત્યો હોવા છતાં કોઈ કાર્યવાહી થઈ નહોતી, ત્યારે આજે મ્યુનિસિપલ કમિશનર એન. નાગરાજને દિલ્હી બોલાવવામાં આવતા હવે તાત્કાલિક એક્શન લેવાય તેવું લાગી રહ્યું છે.
ડિમોલિશન બાદ લગભગ ૧૦૦ પરિવારો રસ્તા પર રહેવા મજબૂર બન્યા છે. આ લોકોએ સમયસર કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ આપી છે.

Related posts

નારાયણાકોચિંગસેન્ટર્સ, અમદાવાદદ્વારા JEE Advanced 2026 માંશાનદારસફળતા

GUJARAT NEWS DESK TEAM

કોઠારી સ્વામીએ કહ્યું- હનુમાનજી તો બધાના છે

પ્રદેશ કાર્યાલય “શ્રી કમલમ” ખાતે “VB-G RAM G” જનજાગરણ અભિયાન અંતર્ગત પ્રદેશ કાર્યશાળા યોજાઈ

GUJARAT NEWS DESK TEAM

બ્રિજ દુર્ઘટના મામલે બાપુ સરકાર પર બગડ્યા

GUJARAT NEWS DESK TEAM

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અધ્યક્ષતામાં ગુજરાત વિદ્યાપીઠનો ૭૧મો દીક્ષાંત સમારોહ સંપન્ન

GUJARAT NEWS DESK TEAM

ગાંધીનગરમાં ટાઈફોઈડના કેસ સંદર્ભે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ દર્દીઓના ખબર-અંતર પૂછ્યા

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment