ગુજરાત

આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને AAPએ કરી સંખ્યાબંધ નિયુક્તિઓ

આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને AAPએ કરી સંખ્યાબંધ નિયુક્તિઓ
સંખ્યાબંધ જિલ્લા પંચાયતોની સીટો પર પ્રભારી અને સહ પ્રભારીની નિયુક્તિ કરવામાં આવી: AAP
આવનાર સમયમાં આમ આદમી પાર્ટી વધુ નિયુક્તિઓ કરશે: AAP
રાજ્યમાં સામાન્ય જનતાનો અવાજ બનીને ઉભરી રહેલી આમ આદમી પાર્ટી પોતાનું કદ વધારી રહી છે. ખેડૂતોનાં હક અને અવાજ માટે લડતી આમ આદમી પાર્ટી સતત કાર્યરત છે. રાજ્યમાં ખેડૂતો સાથે થઇ રહેલા અન્યાયથી રાજ્યના મુખ્યમંત્રીને પણ અવગત કરાવ્યા હતા. આ સાથે રાજ્યમાં ખેડૂતનાં મુદ્દા સહિત ડ્રગ્સ કે દારૂ મુદ્દે પણ આમ આદમી પાર્ટી સતત અવાજ ઉઠાવી રહી છે. રાજ્યમાં થઇ રહેલી નાની બાળાઓ પરની દુષ્કર્મની ઘટના સામે પણ આમ આદમી પાર્ટી સરકાર પાસે મહિલાઓની સુરક્ષાને લઇને સતત પોતાનો અવાજ બુલંદ કરી રહી છે. ત્યારે રાજ્યમાં વધુને વધુ લોકો સુધી કઇ રીતે પહોંચી શકાય? લોકો સાથે થઇ રહેલા અન્યાયને સરકાર સમક્ષ કઇ રીતે મૂકવા આવા અનેક પ્રશ્નોનો લઇને આમ આદમી પાર્ટીના સંગઠનને મજબૂત અને સુનિશ્ચિત કરવું ખૂબ જરૂરી બને છે. રાજ્યમાં થોડા સમયમાં ચૂંટણી આવી રહી છે. આ ચૂંટણીને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટી દ્વારા નિયુક્તિ કરવામાં આવી છે.
આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટીનાં પ્રદેશ પ્રભારી ગોપાલ રાય, પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને પ્રદેશ સંગઠન મહામંત્રી સોરઠીયાની આગેવાનીમાં મોટી સંખ્યામાં પદાધિકારીઓની નિયુક્તિ કરવામાં આવી છે. રાજ્યમાં અમદાવાદ, સુરત, રાજકોટ, નડિયાદ, સુરેન્દ્રનગર, જામનગર, નવસારી અને વાપી મહાનગરપાલિકામાં વોર્ડ પ્રભારી અને સહ પ્રભારીની નિયુક્તિ કરવામાં આવી છે. આ સાથે જ ભુજમાં શહેર પ્રમુખ, શહેર મંત્રી, લઘુમતી મોરચાના તાલુકા મહામંત્રી અને તાલુકા કિસાન સેલ પ્રમુખની નિયુક્તિ કરવામાં આવી છે. લખપત તાલુકામાં તાલુકા મહામંત્રી, તાલુકા મંત્રી અને નખત્રાણા તાલુકા મહિલા મોરચાના મહામંત્રીની નિયુક્તિ કરવામાં આવી છે. ગુજરાતની અનેક નગરપાલિકાઓના પ્રભારી અને સહ પ્રભારી તથા વોર્ડના પ્રભારી અને સહ પ્રભારીની પણ નિયુક્તિ કરવામાં આવી છે. આ સાથે જ રાજ્યનાં સંખ્યાબંધ જિલ્લા પંચાયતોની સીટો પર પ્રભારી અને સહ પ્રભારીની નિયુક્તિ કરવામાં આવી છે. મહત્વનું છે કે આવનાર સમયમાં આમ આદમી પાર્ટી વધુ નિયુક્તિઓ કરશે.

Related posts

અસારવામાં શ્રાવણી અમાસનો ભવ્ય મેળો

GUJARAT NEWS DESK TEAM

રાજ્યમાં સાર્વત્રિક મેધ મહેર : ૧૩૯ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ

GUJARAT NEWS DESK TEAM

AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ જીતગઢથી જુનારાજના રોડનું કામ શરૂ કરાવવા બાબતે પદયાત્રા યોજી

GUJARAT NEWS DESK TEAM

ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં અનુસૂચિત જાતિ (SC) પર અત્યાચારની કુલ ૧૩,૬૨૯ ઘટનાઓ, અનુસુચિત જનજાતિ(ST) પર થતા અત્યાચારની ૩૫૫૩ ઘટનાઓ : ડૉ.હિરેન બેન્કર

GUJARAT NEWS DESK TEAM

પ્રધાનમંત્રીશ્રીના દીર્ઘ અને યશોમય આયુષ્ય માટે સોમનાથ મહાદેવની મહાપૂજા પાઘ પૂજા, આયુષ્ય મંત્ર જાપ કરાયા, સોમનાથ દાદાને 75 કિલો લાડુનો મનોરથ

GUJARAT NEWS DESK TEAM

રાજ્યસભામાં શક્તિસિંહે જર્મનીની કસ્ટડીમાં રહેલી બાળકીનો મુદ્દો ઉઠાવ્યો

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment