OTHERગુજરાત

આમ આદમી પાર્ટીએ એશિયા કપની ભારત-પાકિસ્તાનની મેચનો કર્યો બોયકોટ

આમ આદમી પાર્ટીએ એશિયા કપની ભારત-પાકિસ્તાનની મેચનો કર્યો બોયકોટ

ગુજરાતમાં જ્યાં પણ ભારત-પાકિસ્તાનની મેચનું સ્ક્રિનિંગ થતું હોય ત્યાં સ્ક્રિનિંગમાં ઉપસ્થિત ન રહીને આપણે વિરોધ વ્યક્ત કરવો પડશે: ડો. કરન બારોટ AAP

મેચનો બોયકોટ કરીને આપણે સૌએ આપણી બહેન અને દીકરીઓના સમર્થનમાં ઊભું રહેવાનું છે: ડો. કરન બારોટ AAP

ટેરર અને ટોક, ટ્રેડ એક સાથે ન થાય, લોહી અને પાણી એક સાથે ન વહી શકે અમારી નસોની અંદર લોહીની જગ્યાએ સિંદૂર વહે છે, તેવું કહેનારા ભાજપના નેતાઓ આજે ક્યાં છે?: ડો. કરન બારોટ AAP

ભાજપે ભારત પાકિસ્તાનની મેચને સમર્થન આપ્યું છે, તેનાથી સ્પષ્ટ સાબિત થાય છે કે ભાજપની વિચારધારા હવે બદલાઈ ચૂકી છે: ડો. કરન બારોટ AAP

કશ્મીરના પહેલગામમાં આતંકી હુમલામાં 26 બહેનોનું સિંદૂર ઉજળી ગયું, બાળકો અનાથ થઈ ગયા, ઓપરેશન સિંદૂરમાં ઘણા જવાનો શહીદ થયા: ડો. કરન બારોટ AAP

પોતાના પતિને ગુમાવનાર બહેનો પિતાને ગુમાવનાર બાળકો આજે શું વિચારતા હશે?: ડો. કરન બારોટ AAP

વર્લ્ડ ચેમ્પિયનશિપ લેજેન્ડમાં ભારતે પાકિસ્તાન સામે ન પાડી હતી, તો પાકિસ્તાન સામે એશિયા કપની મેચ રમવા માટે ના પાડી શકતા હતા: ડો. કરન બારોટ AAP

ઓપરેશન સિંદૂરને દેશના તમામ નાગરિકોએ અને પાર્ટીઓએ આપ્યું હતું સમર્થન: ડો. કરન બારોટ AAP

મુખ્યમંત્રી અને સી આર પાટીલ સામે રજૂઆત કરનારી બહેનો આજે શું વિચારતી હશે?: ડો. કરન બારોટ AAP

હવે આ સરકારનો લક્ષ્ય દેશ હિતમાં અને રાષ્ટ્રહિતમાં નથી પરંતુ પૈસા કમાવાનું લક્ષ્ય છે: ડો. કરન બારોટ AAP

પાકિસ્તાને હોકીના એશિયા કપ માટે ભારતનો બોયકટ કર્યો હતો, પણ શું ભાજપ સરકાર આ મેચનો વિરોધ ન કરી શકે?: ડો. કરન બારોટ AAP

આજની મેચથી જે પણ પૈસા પાકિસ્તાનના ફાળે જશે, એ પૈસાનો ઉપયોગ આતંકવાદીઓ કરશે અને ભારત પર હુમલા કરશે: ડો. કરન બારોટ AAP

આજે ભગતસિંહ, ગાંધીજી, સરદાર પટેલ, અટલ બિહારી વાજપાઈ હોત તો તેમનું પણ શરમથી માથું ઝૂકી ગયું હોત: ડો. કરન બારોટ AAP

આ ભાજપ સરકારને જાણવાની, સમજવાની અને તેમની વિચારધારાને સમજવાની આપણે જરૂર છે: ડો. કરન બારોટ AAP

Related posts

મહાનુભાવોની આગતા સ્વાગત કરવાનો પરિપત્ર રદ

જય વીરુ નો અવાજ સતત ગુંજતો રહેશે

મધ્યમ શ્રેણીમાં વિશ્વનું 5મું સૌથી વધુ સમયસર ઉડાન ભરતું એરપોર્ટ – #AhmedabadAirport

GUJARAT NEWS DESK TEAM

ડ્રગ્સના દૂષણ પર લગામ લગાવાની જ જંપીશુઃ હર્ષ સંઘવી

યુવાનના મોત મામલે પોલીસ સામે આમ આદમી પાર્ટીના સવાલ..

GUJARAT NEWS DESK TEAM

સોમનાથમાં માત્ર 25 રૂપિયામાં ભક્તોને મહામૃત્યુંજય યજ્ઞનો લાભ

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment