OTHER

સાળંગપુર હનુમાનજી મંદિરના નામે નકલી વેબસાઈટ બનાવીને શ્રદ્ધાળુઓ સાથે છેતરપિંડી કરનારા ઉત્તરપ્રદેશથી પકડાયો

બોટાદ સાઈબર ક્રાઈમ ટીમે મોટી કાર્યવાહી હાથ ધરી છે. સાળંગપુર હનુમાનજી મંદિરના નામે નકલી વેબસાઈટ બનાવીને શ્રદ્ધાળુઓ સાથે છેતરપિંડી કરનારા આરોપીને ઉત્તરપ્રદેશ ખાતેથી ઝડપવામાં આવ્યો છે.

માહિતી મુજબ, આરોપીએ નકલી વેબસાઈટ બનાવી તેમાં રૂમ બુકિંગની વ્યવસ્થા દર્શાવી હતી. શ્રદ્ધાળુઓ ઓનલાઇન પૈસા ચૂકવીને રૂમ બુક કરાવતા, પરંતુ સ્થળ પર પહોંચતા તેમને ખબર પડતી કે આવી કોઈ સગવડ નથી. આ રીતે અનેક ભક્તો છેતરાયા હતા.

છતરપિંડી અંગે અનેક ફરિયાદો મળતા બોટાદ સાઈબર ક્રાઈમ ટીમે તપાસ શરૂ કરી. ટેકનિકલ સર્વેલન્સ અને બેંક ખાતાઓની માહિતીના આધારે આરોપી સુધી પોલીસ પહોંચી હતી. આખરે, ઉત્તરપ્રદેશમાંથી આરોપીને ઝડપી પાડી બોટાદ લાવવામાં આવ્યો છે.

હાલમાં પોલીસે આરોપી સામે છેતરપિંડી અને આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. સાથે જ, આ નકલી વેબસાઈટ દ્વારા છેતરાયેલા અન્ય ભક્તો પણ આગળ આવી ફરિયાદ કરે તેવી શક્યતા છે.

આ બનાવ બાદ સાયબર ક્રાઈમ તંત્રે લોકોને ચેતવણી આપી છે કે, મંદિર અથવા કોઈપણ સંસ્થા સાથે સંબંધિત સેવાઓ માટે માત્ર સત્તાવાર વેબસાઈટનો જ ઉપયોગ કરવો જોઈએ.

Related posts

2008માં થયેલ માલેગાંવ બ્લાસ્ટ કેસનું ભૂત ફરીથી ધુણ્યું

GUJARAT NEWS DESK TEAM

29મા અદાણી ફાઉન્ડેશન દિવસની ઉજવણી નિમિત્તે કર્મચારી સ્વયંસેવક કાર્યક્રમનું આયોજન

GUJARAT NEWS DESK TEAM

ફિનોવેટ હેક 2025: નાણાકીય ટેકનોલોજીનેસ્માર્ટ બનાવતી હકેથોનનું સફળ આયોજન

GUJARAT NEWS DESK TEAM

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં વિશેષ ઉજવણી

જળ સુરક્ષા અને સમાવેષી સંચાલન વિષયે અદાણી ફાઉન્ડેશન અને સેન્ટર ફોર એન્વાયર્નમેન્ટ એજ્યુકેશન દ્વારા સંવાદ યોજાયો

ગ્લોબલ એબિલિટી ફોટોગ્રાફી ચેલેન્જ 2026 માટે અદાણીયુથ4જોબ્સમાંસહયોગીબની

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment