ચૂંટણી માથે આવતાં જ હવે બિહારમાં નવી નવી કલ્યાણકારી યોજનાઓની જાહેરાત જાણે પૂર બહારમાં ખીલી છે.. હવે પત્રકારોની પેન્શન રકમ 6,000થી વધારીને 15,000 કરવાની મુખ્યમંત્રી નિતીશકુમારે જાહેરાત કરી છે.
મુખ્યમંત્રી નીતિશ કુમારે રાજ્યના પત્રકારો માટે એક મોટી જાહેરાત કરી છે અને “બિહાર પત્રકાર સન્માન પેન્શન યોજના” હેઠળ આપવામાં આવતી પેન્શન રકમમાં વધારો કર્યો છે. હવે રાજ્યના નિવૃત્ત પત્રકારોને અગાઉ 6,000 રૂપિયા પ્રતિ માસને બદલે 15,000 રૂપિયા પ્રતિ માસનું સન્માન પેન્શન મળશે.
બિહાર પત્રકાર સન્માન પેન્શન યોજના હેઠળ પેન્શન મેળવતા પત્રકારોના મૃત્યુના કિસ્સામાં, તેમના આશ્રિત પતિ/પત્નીને આજીવન પેન્શનની રકમ 3000 રૂપિયાને બદલે 10,000 રૂપિયા પ્રતિ માસ આપવાના નિર્દેશો આપવામાં આવ્યા છે.