ગુજરાત

સેનાના એરિયા એકાઉન્ટ્સ ઓફિસ અને સ્ટેશન મુખ્યાલય, અમદાવાદ કેન્ટોન્મેન્ટ દ્વારા સ્પર્શ જાગૃતિ કાર્યક્રમ યોજાશે

સેનાના એરિયા એકાઉન્ટ્સ ઓફિસ અને સ્ટેશન મુખ્યાલય, અમદાવાદ કેન્ટોન્મેન્ટ દ્વારા સ્પર્શ જાગૃતિ કાર્યક્રમ યોજાશે


ભારતીય સેનાના ક્ષેત્રીય લેખા કાર્યાલય (દક્ષિણ કમાન) અમદાવાદ તથા સ્ટેશન મુખ્યાલય, અમદાવાદ કેન્ટ તત્વાધાન હેઠળ આગામી તા. 29 અને 30 ડિસેમ્બરના રોજ છત્રપતિ શિવાજી ઑડિટોરિયમ, અમદાવાદ કેન્ટ ખાતે સ્પર્શ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ સવારે 09:30 વાગ્યાથી શરૂ કરવામાં આવશે. આ કાર્યક્રમ દરમિયાન સંરક્ષણ (ડિફેન્સ)ના પેન્શનરો તથા પરિવાર પેન્શનરો માટે જીવન પ્રમાણ (લાઈફ સર્ટિફિકેટ), ઓળખાણ, ફરિયાદ નિવારણ તેમજ સ્પર્શ પેન્શન સંબંધિત અન્ય સેવાઓનું સ્પર્શ પોર્ટલ પર કાર્ય કરવામાં આવશે.
સેના (સંરક્ષણ)ના પેન્શનરોને તેમના આધાર કાર્ડ, પાન કાર્ડ, આધાર સાથે જોડાયેલ મોબાઇલ નંબર, પી.પી.ઓ. (પીપીઓ) તથા બેંક ખાતાની વિગતો સાથે ઉપસ્થિત રહેવા અનુરોધ કરાયો છે.

Related posts

દુધરેજ વડવાળા મંદિર ખાતે હોળી મહોત્સવમાં સહભાગી બનતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી

પ્રદેશ કાર્યાલય “શ્રી કમલમ” ખાતે “VB-G RAM G” જનજાગરણ અભિયાન અંતર્ગત પ્રદેશ કાર્યશાળા યોજાઈ

GUJARAT NEWS DESK TEAM

ગુજરાતમાં મોડે મોડે પણ સુપ્રિમકોર્ટના નિર્દેષના કારણે ઉપરોકત કોચીંગ કલાસ માટેની ગાઈડલાઈનનો નિર્ણય મજબુરીમાં લેવાયેલ છેઃ  હેમાંગ રાવલ

GUJARAT NEWS DESK TEAM

છેલ્લા નવ વર્ષમાં ભાજપના રાજમાં ગુજરાતમાં  ૭૨,૪૬૭થી વધુ મહિલાને લગતા ગુન્હાઓ નોધાયા:ડો. મનિષ દોશી

GUJARAT NEWS DESK TEAM

શાળાઓમાં 3D, AR/VR, AI, રોબોટિક્સ અને ડ્રોન ટેક્નોલોજીનું સ્માર્ટ શિક્ષણ આપતી દેશની પ્રથમ સુરત મહાનગરપાલિકા

જીપીએસસીની પરીક્ષા મોકૂફ રાખવા કોંગ્રેસના નેતા હિરેન બેન્કરની માંગણી

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment