ગુજરાત

સેનાના એરિયા એકાઉન્ટ્સ ઓફિસ અને સ્ટેશન મુખ્યાલય, અમદાવાદ કેન્ટોન્મેન્ટ દ્વારા સ્પર્શ જાગૃતિ કાર્યક્રમ યોજાશે

સેનાના એરિયા એકાઉન્ટ્સ ઓફિસ અને સ્ટેશન મુખ્યાલય, અમદાવાદ કેન્ટોન્મેન્ટ દ્વારા સ્પર્શ જાગૃતિ કાર્યક્રમ યોજાશે


ભારતીય સેનાના ક્ષેત્રીય લેખા કાર્યાલય (દક્ષિણ કમાન) અમદાવાદ તથા સ્ટેશન મુખ્યાલય, અમદાવાદ કેન્ટ તત્વાધાન હેઠળ આગામી તા. 29 અને 30 ડિસેમ્બરના રોજ છત્રપતિ શિવાજી ઑડિટોરિયમ, અમદાવાદ કેન્ટ ખાતે સ્પર્શ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ સવારે 09:30 વાગ્યાથી શરૂ કરવામાં આવશે. આ કાર્યક્રમ દરમિયાન સંરક્ષણ (ડિફેન્સ)ના પેન્શનરો તથા પરિવાર પેન્શનરો માટે જીવન પ્રમાણ (લાઈફ સર્ટિફિકેટ), ઓળખાણ, ફરિયાદ નિવારણ તેમજ સ્પર્શ પેન્શન સંબંધિત અન્ય સેવાઓનું સ્પર્શ પોર્ટલ પર કાર્ય કરવામાં આવશે.
સેના (સંરક્ષણ)ના પેન્શનરોને તેમના આધાર કાર્ડ, પાન કાર્ડ, આધાર સાથે જોડાયેલ મોબાઇલ નંબર, પી.પી.ઓ. (પીપીઓ) તથા બેંક ખાતાની વિગતો સાથે ઉપસ્થિત રહેવા અનુરોધ કરાયો છે.

Related posts

વરસાદી પાણી હવે ધનની જેમ ભેગુ કરોઃ પાટીલ

GUJARAT NEWS DESK TEAM

પુલ દુર્ઘટના સ્થળની કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ મુલાકાત લીધી

GUJARAT NEWS DESK TEAM

એક નઈ સોચ કાર્યક્રમનું લોન્ચિંગ

GUJARAT NEWS DESK TEAM

AAP પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ કરી ગુજરાતના લોકોને અપીલ

GUJARAT NEWS DESK TEAM

અમદાવાદની એલ.જી જનરલ હોસ્પિટલમાં બાળકમાં જવલ્લે જોવા મળતા રોગનું નિદાન થયું

કોંગ્રેસ દ્વારા સુરેન્દ્રનગર ખાતે આવતીકાલે ધરણાં યોજાશે

Leave a Comment