બિઝનેસ

દેશની તમામ રિફાઈનરીઓ હાલ પૂરી ક્ષમતાથી કામ કરી રહી છે

ડોનાલ્ડ ટ્રમ્પની યુદ્ધ વિરામની જાહેરાત બાદ વૈશ્વિક બજાર અને ભારતીય અર્થતંત્રમાં ભારે ઉત્સાહ, હોર્મુઝ સ્ટ્રેટ મુક્ત થતાં ક્રૂડ ઓઈલનો પુરવઠો સામાન્ય થશે. આ વૈશ્વિક ડીલ બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે ઉર્જા પુરવઠો ફરી સામાન્ય થવાની આશા જીવંત થઈ છે. ભારતીય પેટ્રોલિયમ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે દેશની તમામ રિફાઈનરીઓ હાલ પૂરી ક્ષમતાથી કામ કરી રહી છે અને દેશમાં ક્રૂડ ઓઈલનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ જણાવ્યું કે દેશમાં ઇંધણનો પુરવઠો સંપૂર્ણપણે સ્થિર છે, જેથી નાગરિકોએ ચિંતા કરવાની કોઈ જરૂર નથી.
આ વૈશ્વિક ડીલ બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે ઉર્જા પુરવઠો ફરી સામાન્ય થવાની આશા જીવંત થઈ છે. ભારતીય પેટ્રોલિયમ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે દેશની તમામ રિફાઈનરીઓ હાલ પૂરી ક્ષમતાથી કામ કરી રહી છે અને દેશમાં ક્રૂડ ઓઈલનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ જણાવ્યું કે દેશમાં ઇંધણનો પુરવઠો સંપૂર્ણપણે સ્થિર છે, જેથી નાગરિકોએ ચિંતા કરવાની કોઈ જરૂર નથી.
છેલ્લા કેટલાક દિવસોમાં દેશના કેટલાક પેટ્રોલ પંપો (રિટેલ આઉટલેટ્સ) પર સામાન્ય કરતાં વધુ ભીડ અને વેચાણ જાેવા મળ્યું છે, જે અંગે પણ મંત્રાલયે ખુલાસો કર્યો છે.
આ ભીડનું મુખ્ય કારણ એ છે કે જે ઔદ્યોગિક, વ્યવસાયિક અને સંસ્થાકીય ગ્રાહકો અત્યાર સુધી સીધું બલ્કમાં ઇંધણ ખરીદતા હતા, તેઓ પણ હવે સામાન્ય પેટ્રોલ પંપ પરથી ખરીદી કરી રહ્યા છે. આ બદલાવને કારણે સ્થાનિક રિટેલ આઉટલેટ્સ પર કામચલાઉ ધોરણે ભીડ અને વેચાણમાં વધારો નોંધાયો છે.
બીજી તરફ, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી છે કે ઈરાન સાથે થયેલા કરાર મુજબ વૈશ્વિક વેપાર માટે અત્યંત મહત્વનો ગણાતો ‘હોર્મુઝ સ્ટ્રેટ‘ નો દરિયાઈ માર્ગ હવે કોઈપણ ટોલ વિના ખોલવામાં આવશે. આ માર્ગ પરથી નૌકાદળની નાકાબંધી પણ સંપૂર્ણપણે હટાવી દેવામાં આવી છે. અમેરિકા અને ઈરાન વચ્ચેના ૧૦૭ દિવસના આ ભયાનક સંઘર્ષનો અંત આવવાથી ભારતીય અર્થતંત્રને મોટો વેગ મળશે, પશ્ચિમ એશિયાના દેશોમાં ભારતની નિકાસ વધશે અને ભારતીય રૂપિયામાં પણ સ્થિરતા આવશે.
ઉલ્લેખનીય છે કે આ લાંબા સંઘર્ષને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ પ્રતિ બેરલ ઇં૧૦૦ ને પાર થઈ ગયા હતા. આ લડાઈ ૨૮ ફેબ્રુઆરીએ શરૂ થઈ હતી જ્યારે અમેરિકા અને ઈઝરાયેલે ઈરાનના પરમાણુ મથકો પર સૈન્ય કાર્યવાહી કરી હતી. આ યુદ્ધની સીધી નકારાત્મક અસર ભારતના વેપાર પર પડી હતી, જેના કારણે માર્ચ મહિનામાં ભારતની નિકાસ ૭.૪૪% ઘટીને ઇં૩૮.૯૨ બિલિયન થઈ ગઈ હતી, જે છેલ્લા ૫ મહિનાનો સૌથી મોટો ઘટાડો હતો.ે

Related posts

મધ્ય પ્રદેશના ગુના ખાતે અદાણી સિમેન્ટના ગ્રાઇન્ડીગ એકમના શિલાન્યાસ સમારોહમાં પ્રણવ અદાણીનું સંબોધન

બેંક ઓફ અમેરિકાએ અદાણી ગ્રુપના બોન્ડ્સને ‘ઓવરવેઇટ’ રેટિંગ આપ્યું

GUJARAT NEWS DESK TEAM

ગુજરાતનો સૌથી મોટો કન્સ્ટ્રક્શન ટ્રેડ ફેર “ગુજરાત કોનેક્સ 2025” ગાંધીનગરમાં શરૂ થયો

GUJARAT NEWS DESK TEAM

કોચીના કલ્મસ્સેરીમાં અદાણી લોજિસ્ટિક્સ પાર્કનો શિલાન્યાસ

GUJARAT NEWS DESK TEAM

અદાણી ગ્રુપ દ્વારા કચ્છમાં ગ્રીન હાઇડ્રોજન પાયલોટ પ્રોજેક્ટની શરૂઆત!

GUJARAT NEWS DESK TEAM

એસસી બેંકના ચેરમેન અજય પટેલની ઉપસ્થિતિ સહકાર મંત્રી જીતુવાઘાણીએ જીએસસી બેંકની યુપીઆઈ મર્ચન્ટ ઓન-બોર્ડિંગ સેવા અને ભારત બિલ પે સર્વિસનો શુભારંભ કરાવ્યો

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment