ગુજરાત

પંદરમી ગુજરાત વિધાનસભાના આઠમા સત્રનુ આહવાન


***
ગુજરાત રાજ્યના માન. રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી દ્વારા ભારતના બંધારણના અનુચ્છેદ-૧૭૪ (૧) હેઠળ પંદરમી ગુજરાત વિધાનસભાનું આઠમું સત્ર તા. ૧૬મી ફેબ્રુઆરી ૨૦૨૬ ના રોજ મળવા માટે આહવાન કરવામાં આવ્યું છે. આ સત્રની રૂપરેખા અને કામકાજ અંગેની મહત્વની વિગતો માનનીય અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી દ્વારા જાહેર કરવામાં આવી છે.
સત્રનુ મુખ્ય કામકાજ
* રાજ્યપાલશ્રીનું સંબોધન: સત્રના પ્રથમ દિવસે, તા. ૧૬મી ફેબ્રુઆરીએ રાજ્યપાલશ્રી ગૃહને સંબોધિત કરશે.
* અંદાજપત્રની રજૂઆત: નાણામંત્રીશ્રી દ્વારા તા. ૧૭મી ફેબ્રુઆરી ૨૦૨૬ ના રોજ નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ નું અંદાજપત્ર (બજેટ) રજૂ કરવામાં આવશે.
* વધારાના ખર્ચના પત્રકો: અંદાજપત્રની સાથે વર્ષ ૨૦૧૧-૧૨, ૨૦૧૪-૧૫, ૨૦૧૫-૧૬ અને ૨૦૧૮-૧૯ ના વધારાના ખર્ચના પત્રકો તેમજ વર્ષ ૨૦૨૫-૨૬ ના પૂરક પત્રકો પણ રજૂ કરવામાં આવશે.
બેઠકોનું આયોજન અને સમયગાળો
આ સત્ર તા. ૧૬/૦૨/૨૦૨૬ થી તા. ૨૫/૦૩/૨૦૨૬ સુધી કામકાજના કુલ ૨૩ દિવસ ચાલશે, જેમાં કુલ ૨૬ બેઠકો યોજાશે. વિધાનસભાના કામકાજની વહેંચણી નીચે મુજબ કરવામાં આવી છે:
* રાજ્યપાલશ્રીના સંબોધન પર ચર્ચા: ૩ બેઠકો.
* સરકારી કામકાજ અને વિધેયકો: ૪ બેઠકો.
* નાણાકીય કામકાજ: કુલ ૧૮ બેઠકો રહેશે જેમાં  અંદાજપત્ર પર સામાન્ય ચર્ચા માટે ૪ બેઠકો, વિભાગવાર માંગણીઓ ઉપર ચર્ચા અને મતદાન માટે ૧૨ બેઠકો અને પૂરક માંગણી પર ચર્ચા અને મતદાન માટે ૨ બેઠકો રહેશે.
* બિનસરકારી કામકાજ: ૬ બેઠકમાં બિનસરકારી કામકાજ નિયમો મુજબ હાથ ધરવામાં આવશે.
પ્રશ્નોત્તરી અને ટેકનોલોજીનો ઉપયોગ
* આ સત્ર દરમિયાન તારાંકિત પ્રશ્નોનું કામકાજ હાથ ધરવામાં આવશે, જેના માટે માન. અધ્યક્ષશ્રી દ્વારા મંત્રીશ્રીઓના પાંચ જૂથોની રચના કરવામાં આવી છે અને તારાંકિત પ્રશ્નોની સૂચના માટે વિગતવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.
* માનનીય સભ્યશ્રીઓની સુવિધા માટે પ્રશ્નોની સૂચના ઓનલાઈન અથવા ઓફલાઈન એમ બંને માધ્યમથી આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
સત્રની શરૂઆત પહેલા માન. અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના પ્રમુખપદે કામકાજ સલાહકાર સમિતિની બેઠક યોજવામાં આવશે, જેમાં સત્ર દરમિયાન હાથ ધરવાના કામકાજની વિગતવાર ચર્ચા કરી તેની ભલામણો અનુસાર સભાગૃહમાં કામકાજ હાથ ધરવામાં આવશે. આ અંગેની વધુ વિગતો વિધાનસભાની નેવા વેબસાઈટ (www.gujarat.neva.gov.in) ઉપર ઉપલબ્ધ છે.

Related posts

રાજ્યવ્યાપી કુલ ૧૩ દરોડા દરમિયાન અંદાજે રૂ. ૪૧ લાખના ભેળસેળયુક્ત-શંકાસ્પદ ખાદ્ય પદાર્થોનો જપ્ત-નાશ કરાયો

GUJARAT NEWS DESK TEAM

આપતકાલીન સેવાઓ માટે અલગ અલગ નંબર ડાયલ કરવામાંથી હવે મુક્તિ મળશે: અમિત શાહ

GUJARAT NEWS DESK TEAM

પુલ દુર્ઘટના સ્થળની કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ મુલાકાત લીધી

GUJARAT NEWS DESK TEAM

જે ધારાસભ્યોને ફોન આવ્યાં તેમની યાદી

GUJARAT NEWS DESK TEAM

ગુજરાતમાં જળ વ્યવથાપન અને જળ વિતરણના નામે મોટી મોટી જાહેરાતો કરતી ભાજપ સરકારમાં સફેદ પાણીના કરોડો રૂપિયાના કાળા કારોબાર

GUJARAT NEWS DESK TEAM

રાજ્યમાં ઘટેલી દુર્ઘટનાઓના પગલે અનેકે જીવ ખોયા હોવાને કારણે બાપુ બર્થ ડે નહી ઉજવે

Leave a Comment