OTHER

24 ઑગસ્ટના દિવસે બ્રહ્માકુમારી દ્વારા અમદાવાદના 18 સેવા કેન્દ્રોમાં ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન

રક્તદાન – મહાદાન”
બ્રહ્માકુમારીની મુખ્ય પ્રશાસિકા દાદી પ્રકાશમણીજીના 18મા સ્મૃતિદિવસ નિમિત્તે દેશભરમાં બ્રહ્માકુમારી સંસ્થાન દ્વારા એક લાખથી પણ વધુ બોટલ રક્ત એકત્રિત કરી મહાન સમાજસેવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. એ જ ઉપલક્ષ્યે બ્રહ્માકુમારી, મહાદેવનગર સબઝોન દ્વારા તા. 24 ઑગસ્ટે કુલ 7 સેવા કેન્દ્રોમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. કોઈપણ સ્વસ્થ વ્યક્તિ આ કાર્યક્રમમાં રક્તદાન કરી શકે છે.
મહાદેવનગર સબઝોનની ડિરેક્ટર રાજયોગિની બી.કે. ચંદ્રિકા બહેને રક્તદાન માટે અપીલ કરતા જણાવ્યું હતું કે –
“આપ પણ આ શ્રેષ્ઠ કાર્યમાં જોડાઈ કોઈ નિરાધાર, જરૂરિયાતમંદ માટે સહયોગી બની શકો છો.”
આ રક્તદાન શિબિર મહાદેવનગર સોસાયટી, સ્ટેડિયમ રોડ, અમદાવાદ ખાતે તા. 24 ઑગસ્ટ 2025, રવિવાર, સવારે 9:30 થી બપોરે 1:30 સુધી આયોજિત કરવામાં આવી રહી છે.
ભારતના 1000થી પણ વધુ સ્થળોએ આવું આયોજન થઈ રહ્યું છે, જેમાં અમદાવાદના 18થી વધુ સેવા કેન્દ્રોમાં એકસાથે રક્તદાનનો આ સુવર્ણ પ્રયત્ન થઈ રહ્યો છે.

Related posts

સીનિયર મેન્સ ક્લબ ચેમ્પિયનશીપ 2026 ની સ્પર્ધામાં વડોદરાનો વિજય

GUJARAT NEWS DESK TEAM

બાવળામાં વરસાદ બાદ જાહેર આરોગ્યની જાળવણી માટે સ્થાનિક આરોગ્ય તંત્રની સતત કામગીરી

કોંગ્રેસની સડકથી લઇ સંસદ સુધીની લડાઈ : અમિત ચાવડા

વિપક્ષને નબળો પાડનારા ભાજપાના કટ્ટર સમર્થકોએ સરકાર પાસેથી કામ લેવામાં નિષ્ફળ. – મનહર પટેલ

GUJARAT NEWS DESK TEAM

અદાણી ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીને વિશ્વસ્તરે પ્રતિષ્ઠિત ક્રેસ્ટ ગોલ્ડ એવોર્ડ

GUJARAT NEWS DESK TEAM

ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના દરોડા કાંડ અને કૌભાંડ અંગે વિસ્તૃત તપાસની કોંગ્રેસ દ્વારા માંગ

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment