મારું શહેર

અસારવાની વિખ્યાત દાદા હરિ ની વાવમાં વરસાદી પાણી ભરાયા

અસારવા સ્થિત દાદાહરીની વાવમાં વરસાદી પાણી ભરાયા*

અસારવા યુથ સર્કલના પ્રમુખ શ્રી સંજય પટેલે* જણાવ્યું છે કે અમદાવાદ શહેરના જોવાલાયક સ્થળોમાં અસારવા વિસ્તારમાં આવેલી પાંચ માળની ઐતિહાસિક દાદાહરીની વાવમાં હાલ બે માળ સુધી વરસાદી પાણી ભરાઈ ગયું છે. વરસાદ બંધ થયાને ત્રણ દિવસ વીતી ગયા હોવા છતાં પણ પાણી ઉતર્યું નથી, જેના કારણે વાવમાં આવતા પ્રવાસીઓને માત્ર ત્રણ માળ સુધી જ અવરજવર કરવાની પરવાનગી આપવામાં આવી રહી છે.

શ્રી પટેલે વધુમાં જણાવ્યું કે પુરાતત્વ વિભાગે તાત્કાલિક વરસાદી પાણીનો નિકાલ કરવા માટે પગલાં લેવા જોઈએ તેમજ “દાદાહરીની વાવ” એવું સ્પષ્ટ બોર્ડ લગાવવું જોઈએ. સાથે જ વાવનું રીપેરીંગ કામ, જે છેલ્લા બે વર્ષથી બંધ છે, તે તાત્કાલિક ફરી શરૂ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે

Related posts

સરદારનગર વોર્ડની બળીયાદેવની ચાલીમાં 50 વર્ષથી વસવાટ કરી રહેલા લોકોને ડિમોલિશનની નોટિસ મળતા AAP પોલખોલ ટીમે રહીશોની મુલાકાત લીધી

GUJARAT NEWS DESK TEAM

મધ્યમ શ્રેણીમાં વિશ્વનું 5મું સૌથી વધુ સમયસર ઉડાન ભરતું એરપોર્ટ – #AhmedabadAirport

GUJARAT NEWS DESK TEAM

અમદાવાદ ખાતે વડાપ્રધાનના જન્મદિનની અનોખી ઉજવણી કરવામાં આવશે.. 

GUJARAT NEWS DESK TEAM

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદમાં અર્બન ફોરેસ્ટ પાર્કનુ લોકાર્પણ અને ભગવાન બિરસા મુંડાજીની પ્રતિમાનું અનાવરણ કર્યું

ગાંધીનગરમાં ગેરકાયદે દબાણો દૂર કરાયાં

GUJARAT NEWS DESK TEAM

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 2 વર્ષના બાળકની શ્વાસનળીમાંથી  સોપારીનો ટુકડો બહાર કઢાયો ……

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment