ગુજરાત

રાજ્યમાં અનરાધારઃ બનાસકાંઠામાં રેડ એલર્ટ ….

આજે ૬ સપ્ટેમ્બર, ૨૦૨૫ ના રોજ વહેલી સવાર થી જ બનાસકાંઠા જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી હોઈ તમામને તકેદારી રાખવા વિનંતી કરવામાં આવે છે.નદીકાંઠા તેમજ ડેમના નીચાણવાળા વિસ્તારોમાં આવેલા ગામોને સાવચેતી રાખવા ખાસ આગ્રહપૂર્વક જણાવવામાં આવે છે.ભાદરવી પૂનમ મેળામાં આવનારા તમામ માઈભક્તો, પગપાળા સંઘો તથા સેવા કેમ્પોને પણ હવામાન વિભાગની આગાહી ધ્યાનમાં લેવા કલેક્ટર દ્વારા  વિનંતી કરવામાં આવી છે.

.મુશ્કેલીના કોઈપણ સમયે તાત્કાલિક જિલ્લા તથા તાલુકા કન્ટ્રોલ રૂમનો સંપર્ક કરવા વિનંતી કરવામાં આવી છે.
જ્યારે ઉકાઈડેમ ના 12 દરવાજા 7 ફૂટ ખોલી તાપી નદી માં પાણી છોડ્યા રહ્યું છે ….તાપી નદી ના કાંઠા વિસ્તાર ના 27 જેટલા ગામો ને સાવચેત કરાયા…સરદાર સરોવર બંધમાંથી વહેલી સવાર સુધીમાં ત્રણ લાખ 81 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.. અમારા ભરૂચના પ્રતિનિધિના જણાવ્યા અનુસાર મળસ્કે સાડા ચાર વાગ્યા સુધીમાં ગોલ્ડન બ્રિજ નીચે  જળસપાટી 28.27 ફૂટે સ્થિર થઇ છે..

રાજ્યના અનેક વિસ્તારોમાં ગઇકાલે મોડી સાંજથી રાત સુધી  ધોધમાર વરસાદ વરસવાના અહેવાલ છે..

સવારના છ વાગ્યાથી આજે મળસ્કે ચાર વાગ્યા સુધીના 24 કલાક દરમિયાન રાજ્યના 198 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો..જેમાં તાપીના ડોલવણમાં સાડા છ ઇંચ કરતાં વધુ જ્યારે સુરતના બારડોલીમાં પાંચ ઇંચ કરતાં વધુ સાંબેલાધાર વરસાદ વરસ્યો હતો..જ્યારે સરદાર સરોવરમાંથી વિપુલ પ્રમાણમાં પાણી નર્મદા નદીમાં છોડવામાં આવતા નર્મદા નદીના કાંઠા વિસ્તારના લોકોને એલર્ટ કરાયાં છે.. ભરૂચ જીલ્લાના અંકલેશ્વર તાલુકાના 14 ગામોના લોકોને સાવધ કરાયા છે. જ્યારે અંકલેશ્વરના નર્મદા કાંઠાના વિસ્તારના ખેડૂતોને પાકની ચિંતા સતાવી રહી છે.. ત્યારે વડોદરા અને અંકલેશ્વરની શાળામાં રજા જાહેર કરાઇ છે..

 

 

Related posts

11 સગીરોને બચાવાયા

GUJARAT NEWS DESK TEAM

સૌરાષ્ટ્રની એક માત્ર મારવાડી યુનિવર્સિટી સહીત ગુજરાત ની 7 યુનિવર્સિટીઓ ને NIRF 2025 રેન્કિંગ માં સ્થાન મળ્યું.

GUJARAT NEWS DESK TEAM

ઓઢવમાં રક્ષાબંધનની અનોખી ઉજવણી

મંત્રી પરશોત્તમ સોલંકી‌ના પુત્ર દિવ્યેશ સોલંકીની જન્મ દિવની ઉજવણી

GUJARAT NEWS DESK TEAM

ભારતીય વાયુ સૈના દ્વારા પંદરમી ઓગષ્ટ નિમિત્તે બેન્ડનું પરફોર્મન્સ

GUJARAT NEWS DESK TEAM

મોદી ગુજરાતને 1400 કરોડના રેલવે પ્રોજેક્ટ ની ભેટ આપશે

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment