OTHERમારું શહેર

ઘી કાંટાની મોટી હમામ પોળ ગણેશોત્સવમાં અમદાવાદ પ્લેન ક્રેશ કરૂણાંતિકાના હતભાગીઓને શ્રદ્ધાંજલી આપવાનો સ્તુત્ય પ્રયાસ

ઘી કાંટાની મોટી હમામ પોળ ગણેશોત્સવમાં અમદાવાદ પ્લેન ક્રેશ કરૂણાંતિકાના હતભાગીઓને શ્રદ્ધાંજલી આપવાનો સ્તુત્ય પ્રયાસ
પ્લેન ક્રેશ દુર્ઘટનામાં રાજ્ય અને કેન્દ્ર સરકાર તથા પ્રાઇવેટ સંસ્થાઓની સેવાભાવી કામગીરીને ગણેશ પંડાલમાં થીમ સ્વરૂપે બિરદાવાઈ
ગત ૧૨મી માર્ચના રોજ અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં સર્જાયેલી એર ઈન્ડિયા પ્લેન ક્રેશ દુર્ઘટનાએ સૌ કોઈને હચમચાવી મૂક્યા હતા. આ કરુણાંતિકાના પડઘા વિશ્વભરમાં પડ્યા હતા. રાજ્ય અને કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોએ સતત ખડેપગે રહીને રેસ્ક્યુ, રાહત, બચાવ સહિત પાર્થિવ દેહોને સ્વજનોને માનભેર પહોંચાડવા માટે સતતપણે કામગીરી કરી હતી. ઘણી સામાજિક સંસ્થાઓ, ચેરિટેબલ ટ્રસ્ટ તથા પ્રાઇવેટ સામાજિક, રાજકીય સંસ્થાઓએ પણ આ કપરા સમયમાં ખડેપગે રહીને કામગીરી કરી હતી.
અમદાવાદ પ્લેન ક્રેશ કરૂણાંતિકાના હતભાગીઓને શ્રદ્ધાંજલી આપવા અને રાજ્ય અને કેન્દ્ર સરકાર તથા પ્રાઇવેટ સંસ્થાઓની સેવાભાવી કામગીરીને બિરદાવવાના ઉમદા ઉદ્દેશ સાથે ઘી કાંટાની મોટી હમામ પોળમાં ઉજવાતા ગણેશોત્સવમાં ગણેશ પંડાલને વિશીષ્ટ થીમમાં સજાવવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગ, મીડિયા, ફાયર, પોલીસ, વહીવટી તંત્ર સહિતના વિભાગોની કામગીરીને આ થીમમાં આવરી લેવામાં આવી છે. શ્રી ગણેશના દર્શનાર્થે આવતા ભાવિ ભક્તો દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપીને આવી દુર્ઘટના ફરી ક્યારેય ન સર્જાય એ માટે પ્રભુને પ્રાર્થે છે.

Related posts

ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના દરોડા કાંડ અને કૌભાંડ અંગે વિસ્તૃત તપાસની કોંગ્રેસ દ્વારા માંગ

GUJARAT NEWS DESK TEAM

અસામાજીક તત્વોને કડક હાથે ડામી દોઃ મુખ્યમંત્રી

અદાણી પાવરે નાણાકીય વર્ષ-૨૬ના પ્રથમ ત્રિમાસિક પરિણામો ઘોષિત કર્યા

મુખ્યમંત્રીએ રક્ષાબંધનની ઉજવણી કરી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદમાં અર્બન ફોરેસ્ટ પાર્કનુ લોકાર્પણ અને ભગવાન બિરસા મુંડાજીની પ્રતિમાનું અનાવરણ કર્યું

ઓઢવમાં રક્ષાબંધનની અનોખી ઉજવણી

Leave a Comment