આમ આદમી પાર્ટીના કચ્છ ગાંધીધામ વિધાનસભાના ૨૦૨૨ના ઉમેદવાર બી. ટી. મહેશ્વરી અને આમ આદમી પાર્ટીના અંજાર વિધાનસભાના ઉમેદવાર અરજણભાઈ ચનાભાઈ રબારી અને બક્ષીપંચ સેલના પ્રદેશના મહામંત્રી ભરતભાઈ ધનજીભાઈ મયાત્રા, નિદાન રાઠોડ અને અખમસિંહ ચૌહાણ આજરોજ રાજીવ ગાંધી ભવન ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડાના હસ્તે કોંગ્રેસ પક્ષનો તિરંગો ખેસ પહેરીને વિધિવત રીતે કોંગ્રેસ પક્ષમાં જોડાયા.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કર્મચારી અને કામદાર સંગઠનના અધ્યક્ષ ભરતભાઈ સોલંકી (કચ્છ) ઉપસ્થિત રહ્યા હતા. આજની પત્રકાર પરિષદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશી, મીડિયા કો-કન્વીનર અને પ્રવક્તા, મ્યુ. કાઉન્સિલર નીરવ બક્ષી ઉપસ્થિત રહ્યા હતા.