
આયોલાલ ઝૂલેલાલના નાદ સાથે રાજ્યભરના શહેરો અને નગરોમાં ચેટીચાંદની ઉત્સાહ અને ઉમંગ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી..ભગવાન ઝૂલેલાલની વિવિધ માર્ગો ઉપર ભવ્ય શોભાયાત્રાઓ યોજાઇ હતી. સંગીતના તાલે સિંધીસમાજે નવા વર્ષની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી હતી..યુવાનો અને મહિલાઓ રંગબેરંગી વસ્ત્રો પરિધાન કરીને શોભાયાત્રામાં ઉમટ્યાં હતા. સમાજના અગ્રીણીઓ ,રાજકીય આગેવાનોને આ શોભાયાત્રાને ઠેરઠેર વધાવી હતી.