ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા અને ધારાસભ્ય શ્રી અમિતભાઈ ચાવડાની ગંભીરા બ્રિજ દુર્ઘટના મા અવશાન પામેલા કુટુંબી જનોની મુલાકાત.
સરકારની ગુનાહિત બેદરકારીને કારણે ગંભીરા બ્રીજ તૂટી પડવાની દુર્ઘટનામાં ભોગ બનેલા પાદરા તાલુકાના મુજપુર દરીયાપુરા ગામના એકજ પરીવાર ના છ લોકોના થતાં પરિજનોની ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા અને આંકલાવ ના ધારાસભ્ય શ્રી અમિતભાઈ ચાવડા એ મુલાકાત કરી સાંત્વના પાઠવી દરેક સંભવ મદદ કરવાની ખાતરી આપી.
ઈશ્વર તમામ મૃતકોના દિવ્ય આત્માને શાંતી આપે એ માટે પ્રાથના કરી
ઘટના સ્થળની મુલાકાત કરવામાં આવી આ સમયે સાથે વડોદરા જિલ્લા કોગ્રેસ ના પ્રમુખ અને પૂ. ધારાસભ્યશ્રી જશપાલસિંહ પઢિયાર, વડોદરા જીલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા ઈકબાલભાઇ, જીલ્લા પંચાયત સભ્યશ્રી હર્ષદસિહ પરમાર તથા શ્રી અર્જુનસિહ પઢિયાર, પાદરા તા. પં. વિપક્ષ નેતા શ્રી ભલાભાઇ પટેલ તેમજ બામણગામ જી. પં. સભ્યશ્રી વિજયભાઈ પઢિયાર, આંકલાવ તા.કોગ્રેસ પ્રમુખશ્રી મહેન્દ્રસિંહ પઢિયાર, આંકલાવ એ. પી.એમ. સી. ચેરમેનશ્રી મનુભાઈપઢિયાર, આંકલાવ તા. પં. પ્રમુખ શ્રી, આકલાવ તા. પં. કારોબારી અધ્યક્ષશ્રી દિપકભાઈ પઢિયાર, આંકલાવ તા. ખરીદ વેચાણ સંધ ના ચેરમેનશ્રી મનુભાઈ પઢિયાર, કીસોરભાઇ તા. પં. સભ્ય બામણગામ, કમલેશભાઈ લાલપુરા સરપંચ, પાદરા તાલુકાના સરપંચ શ્રીઓ આગેવાનો વિગેરે હાજર રહ્યા હતા.