રાજનીતિ

કરસનદાસ ભાદરકા મુદ્દે ફેલાવવામાં આવેલી અફવાનુ આપે ખંડન કર્યું

 

કરસનદાસ બાપુ મુદ્દે જે ટીકા ટિપ્પણીઓ કરવામાં આવી રહી છે તેને હું ખંડન કરું છું: AAP પ્રવક્તા ડો.કરન

આમ આદમી પાર્ટીના પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડો.કરન બારોટે એક મહત્વપૂર્ણ મુદ્દા પર વિડીયોના માધ્યમથી પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, છેલ્લા બે દિવસથી કરસનદાસ બાપુ ભાદરકા માટે જે ટીકા ટિપ્પણીઓ ચાલી રહી છે તેને મેં સાંભળી અને આજે આમ આદમી પાર્ટીના મુખ્ય પ્રવક્તા તરીકે હું આવી તમામ અફવાઓનું ખંડન કરું છું. કરસનદાસ બાપુ ભાદરકા સાથે મેં પોતે સાથે રહીને કામ કર્યું છે. કરસનદાસ બાપુ ભાદરકાએ આમ આદમી પાર્ટીમાં ખૂબ જ ઈમાનદારી પૂર્વક પોતાનો રોલ નિભાવ્યો છે અને તમામ જવાબદારીઓ નિભાવી છે. ચૂંટણી સમયે કે પછી પ્રદેશ પ્રવક્તા તરીકે જે પણ જવાબદારી આપવામાં આવી છે તેને કરસનદાસ બાપુએ ઈમાનદારીપૂર્વક નિભાવી છે અને મજબૂતીથી પાર્ટીનો પક્ષ રજુ કર્યો છે. ત્યારે કરસનદાસ બાપુ માટે કોઈ પણ પ્રકારની ખોટી માહિતી ન ફેલાવવામાં આવે તેવી હું લોકોને અને મીડિયાના મિત્રોને વિનંતી કરું છું.

 

કરસનદાસ બાપુ ભાદરકાને ખૂબ જ ગંભીર હાર્ટ એટેક આવ્યો હતો અને ત્યારબાદ તેમની બાયપાસ સર્જરી કરવામાં આવી હતી તેમ છતાં પણ આવી ગંભીર બાયપાસ સર્જરી બાદ પણ તેઓ પાર્ટીના કામમાં અને પાર્ટીની સભાઓમાં હાજર રહ્યા હતા. કરસનદાસ બાપુએ કહ્યું હતું કે તેઓ પાર્ટીના ઋણી છે અને પાર્ટીના આગામી ભવિષ્ય માટે તેઓ શુભકામનાઓ પાઠવે છે. કરસનદાસ બાપુએ વધુમાં એમ પણ કહ્યું હતું કે આમ આદમી પાર્ટીમાં તેમને જેટલો પ્રેમ મળ્યો છે એટલો પ્રેમ બીજે ક્યાંયથી મળ્યો નથી. માટે અમારી અપીલ છે કે કરસનદાસ બાપુ ભાદરકા માટે કોઈપણ પ્રકારની ખોટી ટીકા ટીપ્પણીઓ કરવામાં આવે

Related posts

કોંગ્રેસ અને ભાજપમાં આપે ભંગાણ પાડ્યું

GUJARAT NEWS DESK TEAM

તિરંગા યાત્રામાં જોડાવા ભાજપ નું આમંત્રણ

GUJARAT NEWS DESK TEAM

આમ આદમી પાર્ટીમાં ગાબડું

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નવ નિયુક્ત પ્રમુખ અમીત ચાવડાનું એરપોર્ટ પર ભવ્ય સ્વાગત

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પ્રમુખ અમિત ચાવડાનો પદગ્રહણ સમારોહ યોજાયો

GUJARAT NEWS DESK TEAM

સરકારનો ટેકાના ભાવે કૃષિ પાક ખરીદીના કાર્યક્રમમાં ખેડૂતોને MSP આપવાનો ઇરાદો નથી, – મનહર પટેલ.

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment