OTHERગુજરાત

નવ નિયુકત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માનો પદગ્રહણ સમારોહ યોજાયો

ગઇકાલે પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે સંગઠન પર્વ 2024-25  અંતર્ગત પ્રદેશ અધ્યક્ષ તેમજ રાષ્ટ્રીય પરિષદની ચૂંટણીના પરિણામોની જાહેરાત તેમજ નવ નિયુકત પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઇ વિશ્વકર્માજીનો પદગ્રહણ સમારોહ યોજાયો.
—-
મંડળથી લઇને પ્રદેશ સુધીની રચનામાં ગુજરાતમાં સંગઠનનું સાતત્ય રહ્યુ છે,સંગઠનની સાત્વીકતા રહી છે અને સતત ગુજરાત રાજય ઉદાહરણ રૂપ બન્યુ છે, કે જ્યા સરકાર અને સંગઠન સાથે મળીને એક વિકાસના મોડલને પ્રસ્થાપિત કર્યુ . – શ્રી ભુપેન્દ્ર યાદવ
—-
નવ નિયુક્ત ગુજરાત પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઇ વિશ્વકર્માજીને ખૂબ ખૂબ શુભકામના. – શ્રી ભુપેન્દ્ર યાદવ
—-
મારા કાર્યકાળ દરમિયાન કેટલાક કાર્યકર્તાને નુકશાન થયુ હશે, કેટલાકને ફાયદો થયો હશે પરંતુ મારો ઇરાદો કોઇને નુકશાન કરવાનો ન હતો,પાર્ટીના હિતમાં નુકશાન થયુ હશે તેના માટે મને માફ કરી દેજો. – શ્રી સી.આર.પાટીલ
—-
મારા કાર્યકાળ દરમિયાન અંગત કારણોસર ક્યારેય કોઇ નિર્ણય નથી કર્યો તેની ખાતરી આપું છું. – શ્રી સી.આર.પાટીલ
—-
આજે  એક કાર્યકર્તા  તરીકે નવ નિયુકત પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઇ વિશ્વકર્માજીની સાથે તેમની પડખે છું અને તેમને વિશ્વાસ અપાવું છું કે  ગુજરાત ભાજપનો એક એક કાર્યકર્તા  તમારી સાથે કદમ થી કદમ મિલાવી ચાલશે.
– શ્રી સી.આર.પાટીલ
—-
આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ તેમજ શ્રી અમિતભાઇ શાહ સાહેબના માર્ગદર્શન હેઠળ આપણે તેમની બધી અપેક્ષાઓને પુર્ણ કરી શક્યા, ગુજરાતના સૌ મતદારો,કાર્યકર્તાઓનો દિલથી આભાર.
– શ્રી સી.આર.પાટીલ
—-
ગુજરાત પ્રદેશના નવ નિયુક્ત પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઇ વિશ્વકર્માજીને ખૂબ ખૂબ શુભેચ્છા. – શ્રી ભુપેન્દ્રભાઇ પટેલ
—-
શ્રી સી.આર.પાટીલજીના માર્ગદર્શનમાં પાર્ટીના કાર્યકર્તાઓ ટેક્નોલોજીનો ઉપયોગ સારી રીતે કર્યો, આપણા નવા અધ્યક્ષશ્રી જગદીશભાઇ પણ ટેકનોસેવી છે અને તેનો વધુ સારી રીતે ઉપયોગ કરી સારા પરિણામ મેળવી શકીશું.
– શ્રી ભુપેન્દ્રભાઇ પટેલ
—-
સરકાર હોય કે સંગઠનમા જે કાર્યકર્તાને જે જવાબદારી મળી તે સારી રીતે પુર્ણ કરવા પ્રયાસ કર્યો છે અને એટલે જ ભારતીય જનતા પાર્ટી એક વટવૃક્ષ બન્યું છે.
– શ્રી ભુપેન્દ્રભાઇ પટેલ
—-
મારી ઓળખ કેસરિયો અને કમળ છે. – શ્રી જગદીશભાઇ વિશ્વકર્મા
—-
ભાજપ પ્રદેશ અધ્યક્ષ તરીતે શિર્ષ નેતૃત્વએ મને જે જવાબદારી આપી છે, જે વિશ્વાસ મુક્યો છે તે બદલ શિર્ષ નેતૃત્વના ચરણોમાં વંદન.
– શ્રી જગદીશભાઇ વિશ્વકર્મા
—-
મારા જેવા બુથની જવાબદારી નિભાવતા કાર્યકર્તાને પાર્ટીએ જે જવાબદારી આપી છે તે જવાબદારીની સાચી ઓળખ એટલે મારી સામે બેઠેલો કાર્યકર્તા.
– શ્રી જગદીશભાઇ વિશ્વકર્મા
—-
પ્રદેશ અધ્યક્ષ એ સાચી ઓળખ નહી પરંતુ મારી સામે બેઠેલો કાર્યકર્તા એ મારી સાચી ઓળખ છે. – શ્રી જગદીશભાઇ વિશ્વકર્મા
—-
આજે પ્રદેશ અધ્યક્ષ તરીકેની જવાબદારી મારી એકલાની નથી પરંતુ ભાજપના તમામ કાર્યકર્તાઓની છે. – શ્રી જગદીશભાઇ વિશ્વકર્મા
—-
બુથનો પ્રમુખ હોય કે જિલ્લાનો અધ્યક્ષ હોય મારા માટે બંને આંખો સરખી છે.
– શ્રી જગદીશભાઇ વિશ્વકર્મા
—-
સૌ કાર્યકર્તાઓના સાથ સહકારથી ટીમ ગુજરાત ભાજપ થકી ગુજરાતની જનતાની સેવામાં સાથે મળી તનતોડ પ્રયાસ કરીએ – શ્રી જગદીશભાઇ વિશ્વકર્મા
—-
સંગઠન પર્વ અંતર્ગત પાર્ટીના માર્ગદર્શન અને આપ સૌના સાથ સહકારથી 50 હજાર 677 બુથમાં,580 મંડળમાં અને 41 જિલ્લા મહાનગરોમાં ચૂંટણી પુર્ણ કરવામાં આવી છે. – શ્રી ઉદયભાઇ કાનગડ
—-
              ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, આજ રોજ પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે સંગઠન પર્વ 2024-25  અંતર્ગત પ્રદેશ અધ્યક્ષ તેમજ રાષ્ટ્રીય પરિષદની ચૂંટણીના પરિણામોની જાહેરાત તેમજ નવ નિયુકત પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઇ વિશ્વકર્માજીના પદહગ્રહણ સમારોહ યોજાયો. આ કાર્યક્રમમાં સાંસદ તેમજ કેન્દ્રિય ચૂંટણી ઇન્ચાર્જશ્રી ડો.કે.લક્ષ્મણજી,ગુજરાત પ્રભારી  તેમજ કેન્દ્રિય મંત્રીશ્રી ભુપેન્દ્ર યાદવજી, કેન્દ્રિય જળશક્તિમંત્રીશ્રી સી.આર.પાટીજી, મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ તેમજ સંગઠન મહામંત્રીશ્રી રત્નાકરજી,ચૂંટણી અધિકારીશ્રી ઉદયભાઇ કાનગડ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં પુર્વ પ્રભારી,કેન્દ્રિયમંત્રી તેમજ ચૂંટણીના નિરિક્ષક શ્રી ભુપેન્દ્રભાઇ યાદવજીએ નવ નિયુક્ત પ્રદેશ અધ્યક્ષની જાહેરાત કરી.
             શ્રી ભુપેન્દ્રભાઇ યાદવજી સંબોધન કરતા જણાવ્યું કે, ગુજરાત સંગઠનની દ્રષ્ટીએ દેશના ઉત્કૃષ્ટ રાજયોમાં રહ્યુ છે. મંડળથી લઇને પ્રદેશ સુધીની રચનામાં ગુજરાતમાં સંગઠનનું સાતત્ય રહ્યુ છે,સંગઠનની સાત્વીકતા રહી છે અને સતત ગુજરાત રાજય ઉદાહરણ બન્યુ છે કે જ્યા સરકાર અને સંગઠન સાથે મળીને એક વિકાસના મોડલને પ્રસ્થાપિત કર્યુ છે. વિકાસના મોડલને પ્રસ્થાપિત કરવામાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનું વિશેષ માર્ગદર્શન મળતું રહ્યું છે. બુથ થી લઇને પ્રદેશ સ્તર સુઘીની વર્તમાન ગુજરાત ચૂંટણી પ્રક્રિયા પુર્ણ થયા પછી મતદાર યાદીને જાહેર કરી અને 3 ઓક્ટોમ્બરે પ્રદેશ અધ્યક્ષ અને રાષ્ટ્રીય પરિષદના સભ્યોની પ્રક્રિયા પુર્ણ કરવામાં આવી હતી. પ્રદેશ અધ્યક્ષ માટેના ફોર્મ પણ ગઇકાલે ભરવામાં આવ્યા હતા. પ્રદેશ ચૂંટણી અધિકારીશ્રીએ ઉદયભાઇ કાનગડે ચૂંટણી ફોર્મની ચકાસણી કરી હતી અને જેમાં એક જ ફોર્મ ભરવામાં આવ્યું હતું. સૌની સર્વસહમંતીથી શ્રી જગદીશ વિશ્વકર્માજીને પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ બિનહરિફ જાહેર કરવામાં આવે છે.
            શ્રી યાદવજીએ વધુમાં જણાવ્યું કે, નવનીયુકત પ્રદેશ પ્રમુખશ્રી જગદીશભાઇએ પાર્ટીના બુથ સ્તરના ઇન્ચાર્જ તરીકે કાર્ય કર્યુ છે. ઠક્કરબાપા નગર વિસ્તારથી પાર્ટીના કાર્યકર્તા તરીકે રાજનીતીક યાત્રાની શરૂઆત કરી.  અમદાવાદ મહાનગરના અધ્યક્ષ તરીકેની જવાબદારી પણ તેમણે સફળતા પુર્વક નિભાવી છે. સતત ત્રણ વખત તેઓ નિકોલ વિસ્તારના ઘારાસભ્ય તરીકે પસંદ કરવામાં આવ્યા અને હાલ સરકારમાં મંત્રી તરીકેની પણ સેવા આપી રહ્યા છે. શ્રી જગદીશભાઇ વિશ્વકર્માજીએ સંગઠન અને સરકારમાં જે સમન્વય સાથે કાર્યકર્યુ છે તે બદલ તેમને શુભકામના પાઠવું છું. આ કાર્યક્રમમાં 39 રાષ્ટ્રીય પરિષદના યાદી પણ બિનહરિફ થઇ છે.
              શ્રી સી.આર.પાટીલજીએ સંબોધન કરતા જણાવ્યું કે, સવા પાંચ વર્ષ પહેલા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ અને શ્રી અમિતભાઇ શાહ સાહેબે  ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ તરીકેની જવાબદારી આપી હતી ત્યારે મને પણ મનમાં શંકા હતી કે આટલી મોટી જવાબદારી નિભાવવા માટે હું સક્ષમ છું કે કેમ ?. સંઘના કાર્યશાળામાં કહેવામાં આવે છે કે તમે સક્ષમ છો એટલા માટે આ જવાબદારી તમને મળવી જોઇએ તેવો આગ્રહ ન કરવાને બદલે તમને જે જવાબદારી મળે તે નિભાવવા માટે સક્ષમ બનવાનો પ્રયત્ન કરવો જોઇએ. આપ સૌના સાથ સહકાર તેમજ આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ  તેમજ શ્રી અમિતભાઇ શાહ સાહેબના આશિર્વાદ  અને માર્ગદર્શન હતું તેના કારણે મારા સમયગાળામાં જે પણ પડકારો ગુજરાત ભાજપ સામે આવ્યા તેને સફળતા પુર્વક પુર્ણ કરી શકયા તેમાં તમારા સૌની મહત્વની ભૂમિકા રહી છે.
                  શ્રી પાટીલજીએ વધુમાં જણાવ્યુંક કે, 2022 ની વિઘાનસભા ચૂંટણીમાં 182 બેઠક જીતવાના સંકલ્પ સાથે આગળ વઘ્યા હતા અને 156 બેઠક ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો વિજેતા બન્યા હતા. 2024ની લોકસભામાં પણ 26 માંથી 25 બેઠકો જીતવામાં સફળતા મળી.  બંને વખતે 22-24માં એક-એક કરોડની લીડ મળી હતી. 2022ની વિઘાનસભામાં 26 બેઠક હાર્યા હતા તેનુ ટોટલ વિરોઘ પક્ષને મળેલ લીડ ફકત 3 લાખ અને પાંચ હજાર હતી. આટલી મોટી લીડ મળ્યા પછી પણ 26 બેઠક ગુમાવી પડે તે આપણુ દુરભાગ્ય છે. જે તે વિસ્તારના કાર્યકર્તાઓની નાની-મોટી ભુલ રહી હશે તેમજ પ્રદેશ અધ્યક્ષ તરીકેની મારી જવાબદારીમાં કંઇક કમી રહી હશે તેના કારણે 26 બેઠકો ગુમાવી હતી.  વિઘાનસભા ચૂંટણીમાંથી 65 થી વધુ બેઠકો ભાજપના કાર્યકર્તાઓએ આચંકી લીઘી હતી.  9 બેઠકો એવી હતી કે જેમા ક્યારેય ભાજપ જીત્યુ ન હતું. 2022મા 9 બેઠક જીતવા સંકલ્પ કર્યો હતો અને તેમા 6 બેઠક જે ક્યારેય નહોતા જીત્યા તે આપણા કાર્યકર્તા જીતી શકયા. આવતી વિઘાનસભામાં 182 બેઠકો જીતવાનો સંકલ્પ આપણે કરીએ.
                   શ્રી પાટીલજીએ વધુમાં જણાવ્યું કે, દિલ્હીથી એક પાર્ટી આવી તેને પત્રકાર મિત્રોને કહ્યુ કે લખી લો અમારી સરકાર આવે છે તેઓ ખોટો પ્રચાર કર્યો પણ…

Related posts

નશાના વેપલા સામે ગુજરાત સરકારનો વધુ એક પ્રહારઃએન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સની રચના

GUJARAT NEWS DESK TEAM

અદાણી યુનિવર્સિટીનું નવીદિક્ષા 2025 સાથે ભાવિ ઘડતા-તૈયાર સમૂહમાં પદાર્પણ

GUJARAT NEWS DESK TEAM

અમદાવાદ ખાતે ૧૧મી એશિયન એક્વેટિક્સ ચેમ્પિયનશિપનો પ્રારંભ

GUJARAT NEWS DESK TEAM

ગાંધીનગરની કન્યા છાત્રાલયમાં ગૃહમાતા અને સંચાલકો દ્વારા પરિવાર ને ધમકી આપવામાં આવી: AAP પોલ ખોલ ટીમ

GUJARAT NEWS DESK TEAM

ભારત-ઇગ્લેંડ વચ્ચેની પાંચમી ટેસ્ટ રોમાંચક બની

સોમનાથ મહાદેવને “તલ નો શ્રૃંગાર” કરાયો

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment