OTHER

24 ઑગસ્ટના દિવસે બ્રહ્માકુમારી દ્વારા અમદાવાદના 18 સેવા કેન્દ્રોમાં ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન

રક્તદાન – મહાદાન”
બ્રહ્માકુમારીની મુખ્ય પ્રશાસિકા દાદી પ્રકાશમણીજીના 18મા સ્મૃતિદિવસ નિમિત્તે દેશભરમાં બ્રહ્માકુમારી સંસ્થાન દ્વારા એક લાખથી પણ વધુ બોટલ રક્ત એકત્રિત કરી મહાન સમાજસેવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. એ જ ઉપલક્ષ્યે બ્રહ્માકુમારી, મહાદેવનગર સબઝોન દ્વારા તા. 24 ઑગસ્ટે કુલ 7 સેવા કેન્દ્રોમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. કોઈપણ સ્વસ્થ વ્યક્તિ આ કાર્યક્રમમાં રક્તદાન કરી શકે છે.
મહાદેવનગર સબઝોનની ડિરેક્ટર રાજયોગિની બી.કે. ચંદ્રિકા બહેને રક્તદાન માટે અપીલ કરતા જણાવ્યું હતું કે –
“આપ પણ આ શ્રેષ્ઠ કાર્યમાં જોડાઈ કોઈ નિરાધાર, જરૂરિયાતમંદ માટે સહયોગી બની શકો છો.”
આ રક્તદાન શિબિર મહાદેવનગર સોસાયટી, સ્ટેડિયમ રોડ, અમદાવાદ ખાતે તા. 24 ઑગસ્ટ 2025, રવિવાર, સવારે 9:30 થી બપોરે 1:30 સુધી આયોજિત કરવામાં આવી રહી છે.
ભારતના 1000થી પણ વધુ સ્થળોએ આવું આયોજન થઈ રહ્યું છે, જેમાં અમદાવાદના 18થી વધુ સેવા કેન્દ્રોમાં એકસાથે રક્તદાનનો આ સુવર્ણ પ્રયત્ન થઈ રહ્યો છે.

Related posts

ગુજરાતમાં સ્થાનિક ચેનલ પરનો એક અભ્યાસ રિસર્ચ સ્કોલર હિરેનભાઈ

મહાનુભાવોની આગતા સ્વાગત કરવાનો પરિપત્ર રદ

હવે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખની જાહેરાત હાથવેંતમાં?

સોમનાથ મહાદેવને “તલ નો શ્રૃંગાર” કરાયો

GUJARAT NEWS DESK TEAM

ભારત-ઇગ્લેંડ વચ્ચેની પાંચમી ટેસ્ટ રોમાંચક બની

ગુજરાત સ્ટેટ ફૂટબાલ અસોશિએશન દ્વારા આયોજિત  34 મી જુનીયર બલરામ ક્ષત્રિય મેમોરિયલ ટ્રોફીનો આરંભ

GUJARAT NEWS DESK TEAM

Leave a Comment